° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય અક્ષય કુમારની OMG2, ખેલાડીએ કરી ઓટીટીની પસંદગી

16 March, 2023 03:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અક્ષય કુમાર સિનેમાઘરોથી અંતર સેવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ `ઓહ માય ગૉડ 2`ને તે સીધું ઓટીટી પર રિલીઝ કરી રહ્યો છે. 

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

ઓહ માય ગૉડ (Oh My God) એટલે કે ઓએમજી અક્ષય કુમારની શાનદાર ફિલ્મોમાંની એક છે. જેની સિક્વલ બનાવવાની ડિમાન્ડ પણ વધી રહી છે. સિક્વલની રાહ જોતા અક્ષય કુમારના ચાહકો માટે મોટી ખુશખબરી છે. આ ફિલ્મની સિક્વલ એટલે કે ઓએમજી 2 ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. પણ એક ટ્વિસ્ટ સાથે. આ ટ્વિસ્ટ જોતા ચાહકો બે અલગ અલગ મતમાં વહેંચાઈ રહ્યા છે. કેટલાક ચાહકોને લાગે છે કે ફિલ્મ સાથે જોડાયેલો નવો નિર્ણય અયોગ્ય છે. તો કેટલાક લોકોને લાગે છે કે આ નિર્ણયને બીજી ફિલ્મો પર પણ લાગુ પાડવો જોઈએ.

જે ફિલ્મે અક્ષય કુમારના ફિલ્મી કરિઅરને નવા આયામ આપ્યા હતા તે ફિલ્મ ઓહ માય ગૉડના પાર્ટ 2ના અક્ષય કુમારે થિએટરમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થશે. પોસ્ટર તરીકે ફિલ્મનો ફર્સ્ટ લૂક શૅર કરવાની સાથે આ વાતની માહિતી પણ આપવામાં આવી છે. ફિલ્મ એક્સપર્ટ ક્રિસ્ટોફર કનગરાજે ટ્વીટ કરી જણાવ્યું છે કે ઓહ માય ગૉડ 2 ટૂંક સમયમાં જ ઓટીટી પર રિલીઝ હશે. આ પ્લેટફૉર્મ વૂટ/જિયો સિનેમા પર રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો : સેમ ટુ સેમ... મા સોની રાઝદાને આલિયાના બર્થડે પર શેર કરેલો આ ફોટો જોયો તમે?  

આ ટ્વીટ શૅર થતાં જ ચાહકોએ આને થિયેટરમાં રિલીઝ કરવાની ડિમાન્ડ કરી છે. ટ્વિટર પર ઓએમજી 2 તો ટ્રેન્ડ થાય જ છે જેમાં કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી છે કે આ ફિલ્મ થિયેટરને લાયક છે. આને થિયેટરમાં રિલીઝ કરો. કેટલાક ચાહકોએ અક્ષયની સતત ફ્લૉપ થતી ફિલ્મને જોઈને લખ્યું છે કે આગળ આવનારી ફિલ્મ પણ ઓટીટી પર જ રિલીઝ થાય તો સારું છે.

16 March, 2023 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ઍક્શન એ ‘ભોલા’ની હાઇલાઇટ છે : અજય

તેણે ફિલ્મની ઍક્શન તેના ડૅડી વીરુ દેવગનને સમર્પિત કરી

24 March, 2023 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

હું ક્યારેય પોતાને અન્ય કરતાં સારો કે ખરાબ નથી માનતો : રણબીર કપૂર

બૉલીવુડમાં તેને ૧૫ વર્ષ થયાં છે

24 March, 2023 03:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મારી પર્સનલ લાઇફ સાથે કોઈને પ્રૉબ્લેમ હોય તો મને એની કોઈ પરવા નથી : સારા અલી ખાન

સારા મહાદેવના મંદિરે સતત દર્શન કરવા જાય છે એને લઈને હાલમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી

24 March, 2023 03:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK