ક્રિકેટના મેદાનમાં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો ક્યાં રમાશે મેચ
Mumbai : ક્રિકેટના મેદાનમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર આમને સામને હશે. ગુરૂવારે શ્રીલંકામાં અંડર 19 એશિયા કપની શરૂઆત થઈ રહી છે. શનિવારે ભારતની ટીમ પોતાના બીજા મુકાબલમાં પાકિસ્તાન સામે ટકરાશે.
શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટકરાશે
અંડર 19 એશિયા કપમાં ભારતીય ટીમ પાકિસ્તાનની સામે શનિવારે પોતાનો મુકાબલો રમવા માટે ઉતરશે. ધ્રુવ જુરેલના હાથમાં ટીમ ઈન્ડિયાની કમાન હશે. ભારત અત્યાર સુધીમાં છ વાર ટૂર્નામેન્ટ પોતાના નામે કરી ચુક્યું છે. ધ્રુવ પર ટીમને સાતમી વાર ખિતાબ જીતાડવાની જવાબદારી હશે.
આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ
ભારત પહેલી મેચ કુવૈત અને બીજી મેચ પાકિસ્તાન સામે રમશે
ભારત પોતાના અભિયાનની શરૂઆત ગુરુવારે 5 સપ્ટેમ્બરે કુવૈત ટીમની સામે રમશે. ટીમનો બીજો મુકાબલો 7 સપ્ટેમ્બર પાકિસ્તાન સાથે થશે. આ મુકાબલો સવારે સાડા નવ વાગ્યાથી રમવામાં આવશે. ત્રીજા મુકાબલામાં ભારતીય ટીમ અફઘાનિસ્તાનની સામે 9 સપ્ટેમ્બરે રમશે.
ADVERTISEMENT
આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો
ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપ એ માં છે
ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 8 ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ ગ્રુપ એમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં બે અન્ય ટીમો અફઘાનિસ્તાન અને કુવૈત છે. ગ્રુપ બીમાં યજમાન શ્રીલંકાની સામે બાંગ્લાદેશ, નેપાળ અને યૂએઈને રાખવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની સેમીફાઈનલ 12 સપ્ટેમ્બરે રાખવામાં આવશે જ્યારે ફાઈનલ 14 સપ્ટેમ્બરે શનિવારે થશે.