Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જો રોહિતભાઈ મને ઠપકો ન આપે તો મને અસ્વસ્થતા લાગે છે : જાયસવાલ

જો રોહિતભાઈ મને ઠપકો ન આપે તો મને અસ્વસ્થતા લાગે છે : જાયસવાલ

Published : 12 December, 2025 02:51 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશસ્વીએ આગામી વર્લ્ડ કપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારું સ્વપ્ન આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2026માં રમવાનું છે. મારો સમય આવશે અને હું એની રાહ જોઉં છું. જો મને ક્યારેય ભારતીય ટીમની કૅપ્ટન્સી કરવાની તક મળે તો હું એના માટે તૈયાર છું.’ 

યશસ્વી જાયસવાલ

યશસ્વી જાયસવાલ


કૅપ્ટન તરીકે ક્રિકેટ-મેદાન પર યંગ ક્રિકેટર્સને ઠપકો આપવા માટે જાણીતા રોહિત શર્મા વિશે ઓપનર યશસ્વી જાયસવાલે રસપ્રદ નિવેદન આપ્યું છે. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટૂરમાં ફીલ્ડિંગ દરમ્યાન રોહિત શર્માના ઠપકાનો સામનો કરનાર યશસ્વીએ કહ્યું હતું કે ‘જ્યારે પણ રોહિતભાઈ અમને ઠપકો આપે છે ત્યારે એમાં ઘણો પ્રેમ અને સહાનુભૂતિ મિશ્રિત હોય છે. હકીકતમાં જો રોહિતભાઈ ઠપકો ન આપે તો અસ્વસ્થતાની લાગણી આવે છે. મનમાં પ્રશ્ન થાય છે કે તે મને કેમ ઠપકો નથી આપી રહ્યો? શું તે મારા કોઈ કામથી નારાજ છે?’
યશસ્વીએ આગામી વર્લ્ડ કપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારું સ્વપ્ન આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2026માં રમવાનું છે. મારો સમય આવશે અને હું એની રાહ જોઉં છું. જો મને ક્યારેય ભારતીય ટીમની કૅપ્ટન્સી કરવાની તક મળે તો હું એના માટે તૈયાર છું.’ 
T20 વર્લ્ડ કપ 2024ની સ્ક્વૉડમાં તે સામેલ હતો, પરંતુ તેને એક પણ મૅચ રમવાની તક મળી નહોતી. તે ભારત માટે છેક જુલાઈ ૨૦૨૪માં છેલ્લી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2025 02:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK