Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યાને મહત્ત્વ આપવાનું બંધ કરો એવું કેમ કહ્યું ઇરફાન પઠાણે?

હાર્દિક પંડ્યાને મહત્ત્વ આપવાનું બંધ કરો એવું કેમ કહ્યું ઇરફાન પઠાણે?

28 April, 2024 10:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ભારતીય આૅલરાઉન્ડર ઇરફાન પઠાણે હાર્દિકના પ્રદર્શન પર આકરા પ્રહાર કર્યા હતા.

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ


ગુજરાતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઇરફાન પઠાણ એક સમયે બરોડા માટે સાથે ક્રિકેટ રમતા હતા, પણ ભૂતપૂર્વ ભારતીય આૅલરાઉન્ડર ઇરફાન પઠાણે હાર્દિકના પ્રદર્શન પર આકરા પ્રહાર કર્યા હતા.

પઠાણે સ્ટાર સ્પોર્ટ્‍સ પર ‘પ્રેસ રૂમ શો, ટિકિટ ટુ વર્લ્ડ કપ’માં કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટને એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે હાર્દિક પંડ્યાને એટલું મહત્ત્વ ન આપવું જોઈએ જેટલું તેને અત્યાર સુધી આપ્યું છે, કારણ કે આપણે હજી સુધી તેની હાજરીમાં વર્લ્ડ કપ જીત્યા નથી. જો તમને લાગે છે કે તમે મુખ્ય ઑલરાઉન્ડર છો તો તમારે આંતરરાષ્ટ્રીય સ્તરે એવું પ્રદર્શન કરવું પડશે. જ્યાં સુધી ઑલરાઉન્ડરની વાત છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવિત કરી શક્યો નથી.’



ભારતીય ક્રિકેટને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ સાથે સરખાવતાં ઇરફાન પઠાણે કહ્યું કે ‘ભારતીય ક્રિકેટે કોઈ એક ખેલાડીને મહત્ત્વ આપવાનું બંધ કરવું પડશે. જો તમે એવું કરો છો, તો તમે મોટી ટુર્નામેન્ટ જીતી નહીં શકો. ઑસ્ટ્રેલિયા ઘણાં વર્ષોથી ‘ટીમ ગેમ’ને પ્રાથમિકતા આપી રહ્યું છે. તે દરેકને સુપરસ્ટાર બનાવી રહ્યું છે, તેમની ટીમમાં દરેક ખેલાડી સુપરસ્ટાર છે. જો તમે આ નહીં કરો તો તમે મોટી ટુર્નામેન્ટ જીતી શકશો નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK