Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલીએ રણજી ટ્રોફીમાં શાનદાર કમબૅક માટે સંજય બાંગરની મદદ લીધી

વિરાટ કોહલીએ રણજી ટ્રોફીમાં શાનદાર કમબૅક માટે સંજય બાંગરની મદદ લીધી

Published : 28 January, 2025 07:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સ્ટાર બૅટર વિરાટ કોહલી ૩૦ જાન્યુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામેની મૅચથી લગભગ એક દાયકા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબૅક કરશે

વિરાટ કોહલીએ રણજી ટ્રોફીમાં શાનદાર કમબૅક માટે સંજય બાંગરની મદદ

વિરાટ કોહલીએ રણજી ટ્રોફીમાં શાનદાર કમબૅક માટે સંજય બાંગરની મદદ


ભારતીય સ્ટાર બૅટર વિરાટ કોહલી ૩૦ જાન્યુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામેની મૅચથી લગભગ એક દાયકા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબૅક કરશે. એના માટે તે અલીબાગમાં જબરદસ્ત તૈયારી કરી રહ્યો છે જ્યાં તેણે મદદ માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના ભૂતપૂર્વ બૅટિંગ કોચ સંજય બાંગરને સાથે રાખ્યો છે. કોહલી બૅકફુટ પર પોતાની રમત સુધારવા માગતો હતો અને એથી તેણે સંજય બાંગરની મદદ લીધી.

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના કોચિંગ સ્ટાફનો ભાગ રહી ચૂકેલા સંજય બાંગરને કોહલીની રમતની સારી સમજ છે. કોહલીએ ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે તેની ૮૦ સેન્ચુરીઓમાંથી મોટા ભાગની સેન્ચુરી ફટકારી હતી અને એ વખતે બાંગર રાષ્ટ્રીય ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ હતો. ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપ પછી સંજય બાંગરનો કાર્યકાળ સમાપ્ત થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK