IPLમાં આજે થનારી મેચ પર ફરી પાછા સંકટના વાદળો ઘેરાયા છે. દિલ્હી કૅપિટલ્સ વિરુદ્ધ થનારી મેચના થોડાક કલાક પહેલા જ સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડીનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. અને અન્ય ખેલાડીઓના પણ આરટી-પીસીઆર રિપૉર્ટની રાહ જોવાઈ રહી છે.
નટરાજન
IPLમાં ફરી એકવાર કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. ઇન્ડિયવ પ્રીમિયર લીગ (IPL)માં આજે થનારી મેચ પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચના થોડાંક કલાકો પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ટી. નટરાજન કોરોના સંક્રમિત થયો છે. નટરાજનને આખી ટીમથી જુદો રાખવામાં આવ્યો છે. હાલ તે આઇસોલેશનમાં છે. જો કે, IPL તરફથી ટ્વીચ કરીને માહિતી આપવામાં આવી છે કે આજની મેચ રમાશે.
મેડિકલ ટીમે કુલ છ ખેલાડીઓની ઓળખ કરી છે જેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નામ છે
1 વિજય શંકર
2 વિજય કુમાર- ટીમ મેનેજર
3. શ્યામ સુંદર જે - ફિઝિયોથેરેપિસ્ટ
4. અંજના વી. - ડૉક્ટર
5. તુષાર કેદાર- લૉજિસ્ટિક્સ મેનેજર
6. પી. ગણેશન - નેટ બોલર
ADVERTISEMENT
NEWS - Sunrisers Hyderabad player tests positive; six close contacts isolated.
— IndianPremierLeague (@IPL) September 22, 2021
More details here - https://t.co/sZnEBj13Vn #VIVOIPL
અન્ય ખેલાડીઓ અને અન્ય લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ રિપૉર્ટ નેગેટિવ આવ્યા છે. IPLના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપાવમાં આવી છે કે આજે સાંજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થનારી સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટર્સની મેચ નક્કી કરેલા સમયે થશે.