Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કલકત્તા ટેસ્ટ-મૅચની કારમી હાર બાદ સુનીલ ગાવસકરે ટોન્ટ માર્યો

કલકત્તા ટેસ્ટ-મૅચની કારમી હાર બાદ સુનીલ ગાવસકરે ટોન્ટ માર્યો

Published : 19 November, 2025 08:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણા પ્લેયર્સ લિમિટેડ ઓવર્સ ક્રિકેટના મૂડમાં રહે છે, શૉટ મારીને પોતાને બૉસ સાબિત કરવાનો પ્રયાસ કરે છે

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


કલકત્તા ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકા સામે મળેલી ૩૦ રનની હાર માટે સુનીલ ગાવસકરે ભારતીય પ્લેયર્સની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આપણા ઘણા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા નથી. જો તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમશો તો તમને આના કરતાં વધારે ટર્ન લેતી પિચ પર રમવાની તક મળશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ટીમ પૉઇન્ટ મેળવવાનો પ્રયાસ કરે છે જેથી તેઓ રણજી ટ્રોફીના નૉકઆઉટ માટે ક્વૉલિફાય થઈ શકે.’

ગાવસકર વધુમાં કહે છે, ‘આપણા પ્લેયર્સ લિમિટેડ ઓવર્સના ક્રિકેટના મોડ અને મૂડમાં રહે છે. તેઓ દરેક બૉલમાં શૉટ મારીને બોલર સામે બૉસ બનવાનો પ્રયાસ કરે છે. આપણા વર્તમાન ખેલાડીઓમાંથી કેટલા ખરેખર રણજી ટ્રોફી રમવા માટે મેદાનમાં ઊતરવા માગશે? વર્કલોડ શબ્દનો ઉપયોગ કરીને તેઓ રમવાનું ટાળે છે. તેઓ ફક્ત ત્યારે જ રણજીમાં રમવા માગે છે જ્યારે તેઓ ફૉર્મમાં ન હોય, નહીંતર તેઓ રમવા નથી માગતા. મૅનેજમેન્ટે રણજી ટ્રોફી મૅચોમાં સક્રિય રીતે ભાગ લેતા ખેલાડીઓની પસંદગી કરવાનું વિચારવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2025 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK