Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે ન્યુટ્રલ સ્થળે ટેસ્ટ રમવા રોહિત શર્મા તૈયાર

પાકિસ્તાન સામે ન્યુટ્રલ સ્થળે ટેસ્ટ રમવા રોહિત શર્મા તૈયાર

20 April, 2024 08:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન સામે ન્યુટ્રલ મેદાનમાં ટેસ્ટ-સિરીઝનું આયોજન થાય તો એ એમાં રમવાનું પસંદ કરશે.

ભારતીય કૅપ્ટન રોહિત શર્મા

ભારતીય કૅપ્ટન રોહિત શર્મા


ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ એક યુટ્યુબ-શો દરમ્યાન જણાવ્યું હતું કે જો પાકિસ્તાન સામે ન્યુટ્રલ મેદાનમાં ટેસ્ટ-સિરીઝનું આયોજન થાય તો એ એમાં રમવાનું પસંદ કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૨૦૦૭ના વર્ષ બાદ કોઈ ટેસ્ટ-સિરીઝનું આયોજન નથી થયું. એક પ્રશ્નના જવાબમાં રોહિતે કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાન વચ્ચે જો ન્યુટ્રલ સ્થળે દ્વિપક્ષીય સિરીઝ રમાય તો હું એમાં રમવાનું પસંદ કરીશ. અમારે એક સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાની હોય છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે શ્રેષ્ઠ સંઘર્ષ જોવા મળે છે. આપણે પાકિસ્તાન સામે ICC ટ્રોફી રમીએ જ છીએ એટલે એનાથી કોઈ ફરક નહીં પડે. બાકી અન્ય કોઈ બાબતમાં મને જરાય રસ નથી. મારે ફક્ત ક્રિકેટ રમવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK