પાકિસ્તાન સામે ન્યુટ્રલ મેદાનમાં ટેસ્ટ-સિરીઝનું આયોજન થાય તો એ એમાં રમવાનું પસંદ કરશે.
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા
ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ એક યુટ્યુબ-શો દરમ્યાન જણાવ્યું હતું કે જો પાકિસ્તાન સામે ન્યુટ્રલ મેદાનમાં ટેસ્ટ-સિરીઝનું આયોજન થાય તો એ એમાં રમવાનું પસંદ કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૨૦૦૭ના વર્ષ બાદ કોઈ ટેસ્ટ-સિરીઝનું આયોજન નથી થયું. એક પ્રશ્નના જવાબમાં રોહિતે કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાન વચ્ચે જો ન્યુટ્રલ સ્થળે દ્વિપક્ષીય સિરીઝ રમાય તો હું એમાં રમવાનું પસંદ કરીશ. અમારે એક સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાની હોય છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે શ્રેષ્ઠ સંઘર્ષ જોવા મળે છે. આપણે પાકિસ્તાન સામે ICC ટ્રોફી રમીએ જ છીએ એટલે એનાથી કોઈ ફરક નહીં પડે. બાકી અન્ય કોઈ બાબતમાં મને જરાય રસ નથી. મારે ફક્ત ક્રિકેટ રમવી છે.’