ઈરાની કપ વિજેતા ટીમનું ઇનામ પચીસ લાખ રૂપિયાથી બમણું કરીને ૫૦ લાખ રૂપિયા કરાયું છે,
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બીસીસીઆઇએ કરેલી જાહેરાત મુજબ હવેથી રણજી ટ્રોફી વિજેતા ટીમને કુલ પાંચ કરોડ રૂપિયાનું ઇનામ મળશે. હાલ સુધી બે કરોડ રૂપિયાનું ઇનામ અપાતું હતું. રનર-અપ ટીમને ત્રણ કરોડ રૂપિયા અને સેમી ફાઇનલ હારી જનારી ટીમને એક કરોડ રૂપિયા મળશે. સિનિયર વિમેન વિનર્સ ટીમને કુલ ૬ લાખને બદલે હવેથી ૫૦ લાખ રૂપિયા મળશે અને રનર-અપ ટીમને પચીસ લાખ રૂપિયા મળશે. ઈરાની કપ વિજેતા ટીમનું ઇનામ પચીસ લાખ રૂપિયાથી બમણું કરીને ૫૦ લાખ રૂપિયા કરાયું છે, જ્યારે રનર-અપ ટીમને અત્યારે કંઈ નથી મળતું, પરંતુ હવેથી પચીસ લાખ રૂપિયા મળશે. દુલીપ ટ્રોફીની વિજેતા ટીમને એક કરોડ મળશે. દેવધર ટ્રોફીની વિજેતા ટીમને ૪૦ લાખ રૂપિયા મળશે.