સ્ટાઇલિશ બૅટર કોહલીએ કહ્યું કે ‘મેં ટેસ્ટનું સુકાન છોડ્યું ત્યારે એક જ વ્યક્તિ તરફથી મને ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામેની મૅચ પછીની પત્રકાર-પરિષદમાં અનેક પ્રકારના સવાલના જવાબ આપ્યા હતા અને એમાંનો એક સવાલ તેણે જાન્યુઆરી ૨૦૨૨માં ટેસ્ટની કૅપ્ટન્સી છોડી એ વિશેનો હતો. સ્ટાઇલિશ બૅટર કોહલીએ કહ્યું કે ‘મેં ટેસ્ટનું સુકાન છોડ્યું ત્યારે એક જ વ્યક્તિ તરફથી મને ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. એ વ્યક્તિ સાથે હું રમ્યો હતો અને એ વ્યક્તિનું નામ છે એમએસ ધોની. ઘણા લોકો પાસે મારો કૉન્ટૅક્ટ-નંબર છે અને ઘણા લોકો ટીવી પર મારા વિશે સૂચન આપ્યા કરતા હતા, પરંતુ એમાંથી કોઈનો પણ મને મેસેજ નહોતો આવ્યો. એ તો જે વ્યક્તિ સાથે ખરી મિત્રતા હોય તે જ વ્યક્તિ તરફથી આ રીતે મનને હળવું કરતો સંદેશ આવે. આ વ્યક્તિ (ધોની) એવી છે જેની પાસે હું બીજું કંઈ ઇચ્છતો નથી અને એ જ પ્રમાણે મારી પાસે પણ તેને બીજી કોઈ અપેક્ષા નથી. અમે બન્ને એકબીજાને કારણે અસલામત રહ્યા હોય એવું ક્યારેય બન્યું નહોતું. આને જ ખરી આત્મીયતા અને મિત્રતા કહેવાય.’
ઓમ શાંતિ ઓમ. કોહલી કેવો રિલૅક્સ લાગ્યો, જોયોને! અગાઉ ક્યારેય તેને આવું બોલતો સાંભળેલો? તેણે પત્રકારો સાથે મન મૂકીને વાતચીત કરી. પોતાની કરીઅર અને પોતાની લાઇફ વિશે તે એકદમ સ્પષ્ટ અભિગમ ધરાવે છે. રવિ શાસ્ત્રી (ટીવી ઍન્કરે કોહલીનાં મંતવ્યો વિશે પૂછેલા સવાલના જવાબમાં)