Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝને એક વર્ષ માટે બંગલાદેશની વન-ડે ટીમની કૅપ્ટન્સી મળી

ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝને એક વર્ષ માટે બંગલાદેશની વન-ડે ટીમની કૅપ્ટન્સી મળી

Published : 14 June, 2025 10:00 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેહદી હસન મિરાઝને એક વર્ષ માટે બંગલાદેશના વન-ડે કૅપ્ટન તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૨૭ વર્ષનો આ ઑલરાઉન્ડર નજમુલ હોસેન શાન્તોનું સ્થાન લેશે, જે હવે માત્ર ટેસ્ટ-કૅપ્ટન તરીકે કામ કરશે.

મેહદી હસન મિરાઝ

મેહદી હસન મિરાઝ


મેહદી હસન મિરાઝને એક વર્ષ માટે બંગલાદેશના વન-ડે કૅપ્ટન તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૨૭ વર્ષનો આ ઑલરાઉન્ડર નજમુલ હોસેન શાન્તોનું સ્થાન લેશે, જે હવે માત્ર ટેસ્ટ-કૅપ્ટન તરીકે કામ કરશે. જ્યારે લિટન દાસ T20 ટીમનું નેતૃત્વ કરતો હોવાથી બંગલાદેશ ત્રણેય ફૉર્મેટમાં અલગ કૅપ્ટન્સ 
સાથે રમશે.

આવતા મહિને શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝથી મિરાઝનો કૅપ્ટન તરીકેનો કાર્યકાળ શરૂ થશે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ તેની નિમણૂકનાં મુખ્ય કારણો તરીકે તેનું સતત સારું પ્રદર્શન, નેતૃત્વ કૌશલ્ય અને લડાઈની ભાવનાને પ્રકાશિત કર્યાં હતાં. ઑક્ટોબર ૨૦૧૬થી તે ૧૦૫ વન-ડે, ૫૩ ટેસ્ટ-મૅચ અને ૨૧ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 10:00 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK