વિરાટની કૅપ્ટન તરીકેની ફેરવેલ મૅચને બ્રૅડમૅન અને સચિન સાથે સરખાવી
કોહલીએ આરસીબીને આપી લાજવાબ ઓળખ : ગાવસકર
ADVERTISEMENT
સનીએ કોહલીની આરસીબીના કૅપ્ટન તરીકેની સોમવારની આખરી (ફેરવેલ) મૅચને ડૉન બ્રૅડમૅન અને સચિન તેન્ડુલકરના ફેરવેલ સાથે સરખાવતાં કહ્યું હતું કે ‘દરેક ખેલાડી અપ્રતિમ સિદ્ધિ સાથે વિદાય લેવા માગતો હોય, પણ બધું કંઈ તેના કે તેના ચાહકોના ધાર્યા પ્રમાણે થાય નહીં. સર બ્રૅડમૅનને ૧૦૦.૦૦ની બૅટિંગ ઍવરેજ માટે આખરી ઇનિંગ્સમાં માત્ર ૪ રનની જરૂર હતી, પરંતુ તેઓ ઝીરોમાં જ આઉટ થઈ ગયા હતા. ૨૦૧૩માં સચિન મુંબઈમાં પોતાની ૨૦૦મી અને આખરી ટેસ્ટમાં સદી ફટકારીને નિવૃત્ત થવા માગતો હતો, પરંતુ તે ૭૯ રન (વાસ્તવમાં સચિને ૭૪ રન બનાવ્યા હતા)ના પોતાના સ્કોર પર આઉટ થયો હતો.’
કૅપ્ટન તરીકે કોહલીનો બૅન્ગલોરની ટીમ પર જે જબરદસ્ત પ્રભાવ હતો એનો ખુદ કોહલીને ક્યારેય અંદાજ નહીં આવે. મને કોહલીના નેતૃત્વમાં રમવા મળ્યું એ બદલ હું તેનો આભારી છું. માત્ર હું નહીં, પણ બૅન્ગલોરની ટીમના બધા ખેલાડીઓ કોહલીના સુકાનમાં રમવા મળ્યું એ બદલ પોતાને ભાગ્યશાળી માનીએ છીઅે
એ. બી. ડિવિલિયર્સ