Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મને વધુ ટેસ્ટ-સિરીઝમાં તક મળવી જોઈતી હતી

મને વધુ ટેસ્ટ-સિરીઝમાં તક મળવી જોઈતી હતી

Published : 28 October, 2025 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણજી ટ્રોફીમાં સદી ફટકારી કરુણ નાયરે સિલેક્ટર્સને આપ્યો સંદેશ...

કરુણ નાયરે

કરુણ નાયરે


કર્ણાટકના સ્ટાર બૅટર કરુણ નાયરે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં થયેલી અવગણના બાદ રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે. કરુણ નાયર ગોવા સામેની બીજા રાઉન્ડની મૅચમાં ૨૬૭ બૉલમાં ૧૪ ફોર અને ૩ સિક્સરની મદદથી ૧૭૪ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. કર્ણાટકના ૩૭૧ રન સામે ત્રીજા દિવસે ગોવાએ પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૧૭૧ રન કર્યા હતા. કરુણ નાયરની ટીમ પાસે હજી મૅચમાં ૨૦૦ રનની લીડ બચી છે. ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટૂર પર સાધારણ પ્રદર્શન બાદ કરુણ નાયરને ભારતની ટેસ્ટ-ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.

કરુણ નાયરે ટેસ્ટ-ટીમમાં અવગણના વિશે કહ્યું હતું કે ‘દેખીતી રીતે એ ખૂબ નિરાશાજનક છે. છેલ્લાં બે વર્ષમાં (ડોમેસ્ટિક ક્રિકેટમાં) મારા પ્રદર્શનને ધ્યાનમાં લેતાં મને લાગે છે કે હું વધુ ટેસ્ટ-સિરીઝ માટે લાયક હતો, ફક્ત એક સિરીઝ કરતાં વધુ. આવી અવગણના તમારા મનમાં ચોંટી જાય છે અને એ દુઃખદાયક હોય છે. મારું આગળનું ધ્યેય શું હોઈ શકે? હું ફક્ત મારા દેશ માટે રમવા માગું છું. જો હું એ ન કરી શકું તો પછીનું કામ એ છે કે જે ડોમેસ્ટિક ટીમ માટે રમો છો એને માટે મૅચ જિતાડવાનો પ્રયાસ કરો.’ 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK