કિંગ કોહલી અને એના બ્રૉડકાસ્ટર પર ભકડેલા લિટલ માસ્ટરે કહ્યું...
સુનિલ ગાવસ્કરની તસવીર
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે ૧૭૯ના સ્ટ્રાઇક-રેટથી ૭૦ રન ફટકારનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના વિરાટ કોહલીનો મૅચ બાદનો એક ઇન્ટરવ્યુ ખૂબ વાઇરલ થયો હતો. આ ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે કેટલાક લોકો કૉમેન્ટરી બૉક્સમાં બેસીને મારા સ્ટ્રાઇક-રેટની વાતો કરે છે. મારી ટીમની જીત જરૂરી છે અને હું ૧૫ વર્ષથી એ જ કરી રહ્યો છું. જે લોકો મેદાનમાં રમે છે અને રમી ચૂક્યા છે તે આ વાત સારી રીતે જાણે છે. સ્ટાર સ્પોર્ટ્સે આ ઇન્ટરવ્યુ ટીવી પર ઘણી વાર બ્રૉડકાસ્ટ કર્યો હતો.
બૅન્ગલોરમાં ગુજરાત અને બૅન્ગલોરની મૅચ બાદ પોસ્ટ મૅચ ડિસ્કશનમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે કિંગ કોહલી અને બ્રૉડકાસ્ટર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘જો તમે ૧૧૮ના સ્ટ્રાઇક-રેટથી ઓપનિંગ કરતાં-કરતાં ૧૪મી કે ૧૫મી ઓવરમાં આઉટ થઈ જાઓ છતાં જો તમારે એના માટે તાળીઓ જોઈતી હોય તો એ થોડી વિચિત્ર વાત છે. મને લાગે છે કે બ્રૉડકાસ્ટરે એ જરૂર કરતાં વધારે સમય સુધી બતાવ્યું છે. અમે બહુ નહીં, પણ થોડું ક્રિકેટ રમ્યા છીએ. અમે જે જોઈએ છીએ એની વાત કરીએ છીએ. અમારી પસંદ અથવા નાપસંદને ધ્યાનમાં લીધા વિના, ખરેખર શું થઈ રહ્યું છે એના પર અમે વાત કરીએ છીએ. એથી જો સ્ટાર સ્પોર્ટ્સ એને ફરી એક વાર બતાવશે તો હું ખૂબ જ નિરાશ થઈશ, કારણ કે એ બધા કૉમેન્ટેટર્સ પર પ્રશ્નો ઊભા કરશે.’