મુશ્કેલીના સમયમાં ભક્તિમાં લીન થઈ શાહરુખ ખાનની ટીમ
IPL 2024
કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ
પાંચમી મેએ લખનઉ સુપર જાયન્ટ્સને તેમના હોમગ્રાઉન્ડ પર ૯૮ રને હરાવ્યા બાદ પોતાના હોમગ્રાઉન્ડ પર પાછી જઈ રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે તેમની ફ્લાઇટ લખનઉથી કલકત્તા જતી વખતે પહેલાં ગુવાહાટી અને પછી વારાણસી ડાઇવર્ટ કરવામાં આવી હતી. હવામાન સાફ થવાની રાહ જોતી ટીમે આપત્તિને અવસરમાં ફેરવી દઈ વારાણસીમાં બાબા વિશ્વનાથનાં દર્શન કર્યાં હતાં. ટીમના વિદેશી ખેલાડીઓએ ગંગા નદીથી વારાણસીના ભવ્ય ઘાટ નિહાળવાનો આનંદ પણ માણ્યો હતો. દર્શન પછી શાહરુખ ખાનની આ ટીમ સુરક્ષિત કલકત્તા પહોંચી ગઈ હતી.