Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કલકત્તાને બદલે વારાણસી પહોંચેલી કલકત્તાની ટીમે બાબા વિશ્વનાથનાં દર્શન કર્યાં

કલકત્તાને બદલે વારાણસી પહોંચેલી કલકત્તાની ટીમે બાબા વિશ્વનાથનાં દર્શન કર્યાં

08 May, 2024 06:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુશ્કેલીના સમયમાં ભક્તિમાં લીન થઈ શાહરુખ ખાનની ટીમ

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ

IPL 2024

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ


પાંચમી મેએ લખનઉ સુપર જાયન્ટ્સને તેમના હોમગ્રાઉન્ડ પર ૯૮ રને હરાવ્યા બાદ પોતાના હોમગ્રાઉન્ડ પર પાછી જઈ રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે તેમની ફ્લાઇટ લખનઉથી કલકત્તા જતી વખતે પહેલાં ગુવાહાટી અને પછી વારાણસી ડાઇવર્ટ કરવામાં આવી હતી. હવામાન સાફ થવાની રાહ જોતી ટીમે આપત્તિને અવસરમાં ફેરવી દઈ વારાણસીમાં બાબા વિશ્વનાથનાં દર્શન કર્યાં હતાં. ટીમના વિદેશી ખેલાડીઓએ ગંગા નદીથી વારાણસીના ભવ્ય ઘાટ નિહાળવાનો આનંદ પણ માણ્યો હતો. દર્શન પછી શાહરુખ ખાનની આ ટીમ સુરક્ષિત કલકત્તા પહોંચી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK