Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ-ટૂર પર બદલાઈ શકે છે ભારતનો ટેસ્ટ વાઇસ-કૅપ્ટન

ઇંગ્લૅન્ડ-ટૂર પર બદલાઈ શકે છે ભારતનો ટેસ્ટ વાઇસ-કૅપ્ટન

Published : 06 May, 2025 12:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં કારમી હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા પોતાનું સ્થાન જાળવી રાખીને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં શાનદાર વાપસીની આશા રાખશે.

શુભમન ગિલ, રિષભ પંથ

શુભમન ગિલ, રિષભ પંથ


જૂન ૨૦૨૫માં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ-ટૂરથી પોતાની નવી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ સીઝનની શરૂઆત કરશે. ઇંગ્લૅન્ડમાં ૨૦ જૂનથી આયોજિત આ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ભારતનો
વાઇસ-કૅપ્ટન બદલાઈ શકે છે. ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં કારમી હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા પોતાનું સ્થાન જાળવી રાખીને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં શાનદાર વાપસીની આશા રાખશે.


અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ એવા પ્લેયરને વાઇસ-કૅપ્ટન બનાવવા માગે છે જે પાંચ ટેસ્ટ-મૅચમાં ઉપલબ્ધ રહી શકે. ઇન્જરીની શક્યતાઓને કારણે વર્તમાન ટેસ્ટ વાઇસ-કૅપ્ટન બુમરાહ અમુક જ મૅચમાં ઉપલબ્ધ રહી શકશે. બોર્ડ અલગ-અલગ મૅચ માટે જુદા-જુદા પ્લેયર્સને જવાબદારી સોંપવાના પક્ષમાં નથી. શુભમન ગિલ અને વિકેટકીપર-બૅટર રિષભ પંત વાઇસ-કૅપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.



ICC રૅન્કિંગ્સમાં વન-ડે અને T20ની નંબર વન ટીમ ભારત રહી


ICCની અપડેટેટ ટીમ-રૅન્કિંગ્સમાં ભારતીય મેન્સ ટીમે વન-ડેમાં ૧૨૪ અને T20માં ૨૭૧ રેટિંગ પૉઇન્ટ સાથે પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ટેસ્ટ-ફૉર્મેટમાં એક સ્થાન નીચે આવીને ચોથા સ્થાને (૧૦૫ રેટિંગ પૉઇન્ટ) પહોંચી ગઈ છે. મે ૨૦૨૪ બાદ રમાયેલી મૅચના પ્રદર્શનની અસર આ રૅન્કિંગમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK