ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં કારમી હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા પોતાનું સ્થાન જાળવી રાખીને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં શાનદાર વાપસીની આશા રાખશે.
શુભમન ગિલ, રિષભ પંથ
જૂન ૨૦૨૫માં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ-ટૂરથી પોતાની નવી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ સીઝનની શરૂઆત કરશે. ઇંગ્લૅન્ડમાં ૨૦ જૂનથી આયોજિત આ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ભારતનો
વાઇસ-કૅપ્ટન બદલાઈ શકે છે. ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં કારમી હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા પોતાનું સ્થાન જાળવી રાખીને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં શાનદાર વાપસીની આશા રાખશે.
અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ એવા પ્લેયરને વાઇસ-કૅપ્ટન બનાવવા માગે છે જે પાંચ ટેસ્ટ-મૅચમાં ઉપલબ્ધ રહી શકે. ઇન્જરીની શક્યતાઓને કારણે વર્તમાન ટેસ્ટ વાઇસ-કૅપ્ટન બુમરાહ અમુક જ મૅચમાં ઉપલબ્ધ રહી શકશે. બોર્ડ અલગ-અલગ મૅચ માટે જુદા-જુદા પ્લેયર્સને જવાબદારી સોંપવાના પક્ષમાં નથી. શુભમન ગિલ અને વિકેટકીપર-બૅટર રિષભ પંત વાઇસ-કૅપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
ICC રૅન્કિંગ્સમાં વન-ડે અને T20ની નંબર વન ટીમ ભારત જ રહી
ICCની અપડેટેટ ટીમ-રૅન્કિંગ્સમાં ભારતીય મેન્સ ટીમે વન-ડેમાં ૧૨૪ અને T20માં ૨૭૧ રેટિંગ પૉઇન્ટ સાથે પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ટેસ્ટ-ફૉર્મેટમાં એક સ્થાન નીચે આવીને ચોથા સ્થાને (૧૦૫ રેટિંગ પૉઇન્ટ) પહોંચી ગઈ છે. મે ૨૦૨૪ બાદ રમાયેલી મૅચના પ્રદર્શનની અસર આ રૅન્કિંગમાં જોવા મળશે.

