ભારત સામેની T20 વર્લ્ડ કપ મૅચનો બહિષ્કાર કરવા વિશે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું...
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારત સામેની T20 વર્લ્ડ કપ મૅચનો બહિષ્કાર કરવાના પાકિસ્તાન સરકારના નિર્ણયને સાચો ગણાવ્યો છે. તેમણે પ્રધાનો અને અધિકારીઓ સાથેની એક મીટિંગમાં કહ્યું હતું કે ‘પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં સ્પષ્ટ અને કોઈ પણ શંકા વિનાનું વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે નહીં રમે. પાકિસ્તાન માને છે કે રમતગમત અને રાજકારણ અલગ હોવાં જોઈએ. આ સિદ્ધાંત સાથે અમે સંપૂર્ણપણે બંગલાદેશ સાથે ઊભા છીએ.’
ભારતનો વિરોધ કરીને પાકિસ્તાનની જનતાનાં દિલ જીતવાના પાકિસ્તાની સરકારના આ નાટકથી ભવિષ્યમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારે નુકસાન ભોગવવું પડશે.
ADVERTISEMENT
કૅપ્ટન્સ ડેની પ્રેસ-કૉન્ફરન્સમાં પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આગા
ભારત સામેની મૅચ અમારા નિયંત્રણમાં નથી. એ સરકારનો નિર્ણય છે અને અમે એનો આદર કરીએ છીએ. તેઓ જે કહેશે એ અમે કરીશું. અમે બાકીની ત્રણ મૅચ રમવા ઉત્સાહી છીએ.
કૅપ્ટન્સ ડેની પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ
અમારી ફ્લાઇટ બુક થઈ ગઈ છે અને અમે કોલંબો જઈ રહ્યા છીએ. અમે એશિયા કપમાં પાકિસ્તાન સામે સારું ક્રિકેટ રમીને બધી મૅચ જીત્યા છીએ. આશા છે કે કોલંબોમાં પણ તેમની સામે રમવાની તક મળે.
ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા
ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના વડા પ્રધાનના નિવેદન વિશે કાંઈ કહેવાની જરૂર નથી. આ મૅચ વિશે ICCએ નિર્ણય લેવાનો છે. ICC જે કહેશે એનું અમે પાલન કરીશું.


