Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર, T20 વર્લ્ડ કપની ટીમમાંથી થઈ જશે બહાર?

હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર, T20 વર્લ્ડ કપની ટીમમાંથી થઈ જશે બહાર?

16 April, 2024 07:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પંડ્યાની કૅપ્ટનશિપમાં મુંબઈ ટીમે અત્યાર સુધી 6માંથી માત્ર બે જ મેચ જીતી છે. સાથે જ પંડ્યા પોતે પણ પોતાની બેટિંગ અને બૉલિંગમાં ફ્લૉપ જોવા મળી રહ્યો છે.

હાર્દિક પંડ્યા (ફાઈલ તસવીર)

હાર્દિક પંડ્યા (ફાઈલ તસવીર)


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું સુકાની પદ સંભાળતા સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પંડ્યાની કૅપ્ટનશિપમાં મુંબઈ ટીમે અત્યાર સુધી 6માંથી માત્ર બે જ મેચ જીતી છે. સાથે જ પંડ્યા પોતે પણ પોતાની બેટિંગ અને બૉલિંગમાં ફ્લૉપ જોવા મળી રહ્યો છે.

એવામાં હવે આ વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપમાંથી હાર્દિક પંડ્યાને માથે ટીમમાંથી બહાર થવા મામલે લટકતી તલવાર જોવા મળી રહી છે. આ વાત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ની મીટિંગમાં પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ટી20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની મેજબાનીમાં થશે. આ ટૂર્નામેન્ટ જૂનમાં રમાશે.



પંડ્યાની બૉલિંગ પર સિલેક્ટર્સની ઝીણી નજર
આ મીટિંગ ચીફ સિલેક્ટર અજીત અગરકર, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ સહિત બીસીસીઆઈના અન્ય સભ્યો વચ્ચે થઈ. ઈન્ડિયન એક્સપ્રેસના રિપૉર્ટ પ્રમાણે સિલેક્ટરનું ધ્યાન ફક્ત હાર્દિક પંડ્યાની બૉલિંગ પર છે. મીટિંગ 2 કલાક ચાલી, જેમાં ફક્ત ફાસ્ટ બૉલર ઑલરાઉન્ડર્સને લઈને ચર્ચા થઈ.


આમાં કહેવામાં આવ્યું છે કે ટી20 વર્લ્ડ 2024માં હાર્દિક પંડ્યાનું સિલેક્શન ત્યારે થશે, જ્યારે તે IPLની બાકીની મેચમાં બૉલિંગમાં કમાલ બતાવી શકશે. સિલેક્ટર્સનું માનવું છે કે પંડ્યાની ટીમમાં કમબૅક ત્યારે થશે, જ્યારે તે સતત સારી બૉલિંગ કરે.

પંડ્યા રેગ્યુલર રીતે બૉલિંગ નથી કરતો
આઈપીએલ 2024માં અત્યાર સુધી પંડ્યાના બૅટ અને બૉલ બન્ને સાઈડથી બેકાર પ્રદર્શન જ કરી રહ્યો છે. મુંબઈની છેલ્લી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમી હતી, જેમાં પંડ્યાએ ઈનિંગની છેલ્લી ઓવરનો સામનો કર્યો હતો. આમાં મહેન્દ્ર સિંહ ધોનીએ તેની ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા તો ફેન્સ પંડ્યાને વધારે ટ્રોલ કરવા માંડ્યા.


પંડ્યા આઈપીએલ 2024 સીઝનમાં સામાન્ય રીતે બૉલિંગ નથી કરી રહ્યો. તેમણે 6માંથી 4 મેચમાં જ બૉલિંગ કરી છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 3 વધુ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 4 ઓવર બૉલિંગ કરી હતી. પછી આગામી બે મેચમાં બૉલિંગ નહોતી કરી. પણ પછી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ તેણે એક જ ઓવર બૉલિંગ કર્યું. જ્યારે ચેન્નઈ વિરુદ્ધ પંડ્યાએ ત્રણ ઓવર બૉલિંગ કરી.

ઉલ્લેખનીય છે કે મુંબઈના વિકેટકીપર-બૅટર ઈશાન કિશનને વિશ્વાસ છે કે મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા તેના પર્ફોર્મન્સ વડે ફરી ફૅન્સનાં દિલ જીતી લેશે. ગુરુવારે બૅન્ગલોર સામે શાનદાર જીતથી અને તેની અફલાતૂન ઇનિંગ્સને લીધે ખુશખુશાલ કિશને મૅચ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘હું હાર્દિકને પર્સનલી ઓળખું છું. તેને પડકાર ખૂબ પસંદ છે. તેની સામે ઘણા પડકાર આવી ગયા અને અત્યારે પણ છે, પરંતુ તે આ બાબતે કોઈ વાત નહીં કરે અને તેનો હુરિયો બોલાવવાનું બંધ કરવાનું પણ નહીં કહે. હાર્દિક બધાને તેના પર્ફોર્મન્સ વડે જવાબ આપશે અને ફરી ચાહકોનાં દિલ જીતશે.’

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 07:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK