શોભાયાત્રા સમાપ્ત થયા બાદ ઍરપોર્ટ રનવેની સંપૂર્ણ સાફસફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટ્સની સર્વિસ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.
લાઇફ મસાલા
તિરુવનંતપુરમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ
સામાન્ય રીતે ઍરપોર્ટના રનવે પર કબૂતરું પણ ફરકી શકતું નથી, પણ ભારતમાં એક એવું ઍરપોર્ટ છે જેના રનવે પરથી હાથીની અંબાડી પર ઢોલનગારાં સાથે વિવિધ પ્રતિકૃતિઓ લઈને શોભાયાત્રા નીકળે છે. જી હા, તિરુવનંતપુરમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ દુનિયાભરનું એકમાત્ર એવું ઍરપોર્ટ છે જેનો રનવે શોભાયાત્રાની સુવિધા માટે કલાકો સુધી બંધ રહે છે અને તમામ ફ્લાઇટ્સ રીશેડ્યુલ કરવામાં આવે છે. સદીઓ જૂની શોભાયાત્રાની પરંપરાને જાળવી રાખવા વર્ષમાં બે વાર આ આયોજન થાય છે. આ શોભાયાત્રા પાછળ એક ઐતિહાસિક કથા છે. ઇતિહાસકારોના કહેવા મુજબ જ્યારે ઍરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ચિથિરાથિરુનાલે આ જગ્યા વર્ષમાં ૩૬૩ દિવસ લોકો માટે ખુલ્લી રાખવાનો અને શાહી પરિવારની શોભાયાત્રા માટે બે દિવસ જગ્યા ખુલ્લી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં આવતા અલ્પાસી ઉત્સવ અને માર્ચ-એપ્રિલમાં પેનકુની તહેવાર દરમ્યાન રનવે બંધ થાય છે.
ADVERTISEMENT
અદાણી ગ્રુપે ઍરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ પણ આજ સુધી રાજવી યુગની પરંપરાગત વિધિ યથાવત્ રહી છે. શોભાયાત્રા સમાપ્ત થયા બાદ ઍરપોર્ટ રનવેની સંપૂર્ણ સાફસફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટ્સની સર્વિસ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.