Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુનિયાભરનું એકમાત્ર ઍરપોર્ટ જ્યાં રનવે પર વર્ષમાં બે વાર નયનરમ્ય શોભાયાત્રા નીકળે છે

દુનિયાભરનું એકમાત્ર ઍરપોર્ટ જ્યાં રનવે પર વર્ષમાં બે વાર નયનરમ્ય શોભાયાત્રા નીકળે છે

30 April, 2024 10:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોભાયાત્રા સમાપ્ત થયા બાદ ઍરપોર્ટ રનવેની સંપૂર્ણ સાફસફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટ્સની સર્વિસ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.

તિરુવનંતપુરમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ

લાઇફ મસાલા

તિરુવનંતપુરમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ


સામાન્ય રીતે ઍરપોર્ટના રનવે પર કબૂતરું પણ ફરકી શકતું નથી, પણ ભારતમાં એક એવું ઍરપોર્ટ છે જેના રનવે પરથી હાથીની અંબાડી પર ઢોલનગારાં સાથે વિવિધ પ્રતિકૃતિઓ લઈને શોભાયાત્રા નીકળે છે. જી હા, તિરુવનંતપુરમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ દુનિયાભરનું એકમાત્ર એવું ઍરપોર્ટ છે જેનો રનવે શોભાયાત્રાની સુવિધા માટે કલાકો સુધી બંધ રહે છે અને તમામ ફ્લાઇટ્સ રીશેડ્યુલ કરવામાં આવે છે. સદીઓ જૂની શોભાયાત્રાની પરંપરાને જાળવી રાખવા વર્ષમાં બે વાર આ આયોજન થાય છે. આ શોભાયાત્રા પાછળ એક ઐતિહાસિક કથા છે. ઇતિહાસકારોના કહેવા મુજબ જ્યારે ઍરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ચિથિરાથિરુનાલે આ જગ્યા વર્ષમાં ૩૬૩ દિવસ લોકો માટે ખુલ્લી રાખવાનો અને શાહી પરિવારની શોભાયાત્રા માટે બે દિવસ જગ્યા ખુલ્લી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં આવતા અલ્પાસી ઉત્સવ અને માર્ચ-એપ્રિલમાં પેનકુની તહેવાર દરમ્યાન રનવે બંધ થાય છે.



અદાણી ગ્રુપે ઍરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ પણ આજ સુધી રાજવી યુગની પરંપરાગત વિધિ યથાવત્ રહી છે. શોભાયાત્રા સમાપ્ત થયા બાદ ઍરપોર્ટ રનવેની સંપૂર્ણ સાફસફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટ્સની સર્વિસ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK