ઘટનાની જાણ થતાં, મોટી સંખ્યામાં ગ્રામજનો કબ્રસ્તાનમાં દોડી ગયા. તેઓએ પહેલા સન્માનપૂર્વક મૃતદેહોને સલામત સ્થળે ખસેડ્યા. વરસાદ બંધ થયા પછી, કબ્રસ્તાનમાંથી પાણી કાઢી નાખવામાં આવ્યું હતું, અને મૃતદેહોને ફરીથી દફનાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: AI)
પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગુરુવારે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ગાઝિયાબાદ અને નોઈડા જેવા NCR શહેરોના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ગાઝિયાબાદમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. દરમિયાન, અહીંના સહારનપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી, જ્યાં ભારે વરસાદને કારણે એક કબ્રસ્તાનમાં પાણી ભરાઈ ગયું. પાણીને લીધે માટી વહી જતાં અનેક કબરો ધરાશાયી થઈ અને તેમાંથી કેટલાક મૃતદેહો બહાર નીકળવા લાગ્યા હતા જાણે કોઈ હૉરર ફિલ્મના દ્રશ્યો હોય. સહારનપુર જિલ્લાના ગગલહેરી વિસ્તારમાં આવેલા સૈયદ માજરા ગામમાં આ ઘટના બની હતી. ગુરુવારે ભારે વરસાદને કારણે હાઇવે પર આવેલા ગામડાના કબ્રસ્તાનમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાથી અને માટીના ધોવાઈ જવાને કારણે ઘણી કબરોને નુકસાન થયું હતું, જેના કારણે દફનાવવામાં આવેલા કેટલાક મૃતદેહો જે હજી પણ તેમના કફનમાં લપેટાયેલા હતા તે ખુલ્લા થઈ ગયા હતા અને દુર્ઘટના બની.
ગામલોકોએ મૃતદેહોને ફરીથી દફનાવ્યા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં, મોટી સંખ્યામાં ગ્રામજનો કબ્રસ્તાનમાં દોડી ગયા. તેઓએ પહેલા સન્માનપૂર્વક મૃતદેહોને સલામત સ્થળે ખસેડ્યા. વરસાદ બંધ થયા પછી, કબ્રસ્તાનમાંથી પાણી કાઢી નાખવામાં આવ્યું હતું, અને મૃતદેહોને ફરીથી દફનાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગ્રામજનો યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાની માગ કરી
इतनी बारिश कि कब्र से मुर्दे आ गए बाहर!
— zingabad (@zingabad) July 10, 2026
सहारनपुर में भारी बारिश के चलते गागालेहड़ी क्षेत्र के गांव सय्यद माजारा में कब्रिस्तान में पानी भर गया. पानी इतना भरा कि कब्र में दफ़्न लाशें भी बाहर आ गईं.#saharanpur #uppolice pic.twitter.com/NigTA4QWUC
ગામના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. તેમનો આરોપ છે કે હાઇવે પર રસ્તાની બાજુના નાળાઓ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી કબ્રસ્તાનમાં પાણી ભરાઈ ગયું હતું. તેના કારણે માટી નીકળી ગઈ હતી અને મૃતદેહો બહાર આવી ગયા હતા. ગ્રામજનોએ માગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જિલ્લા પ્રશાસને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ સ્થાપિત કરે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચોમાસું સક્રિય છે. 11 જુલાઈએ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. જોકે, 12 જુલાઈથી વરસાદની ગતિવિધિ ઓછી થવાની ધારણા છે; વિભાગે તે દિવસે માત્ર હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની આગાહી કરી છે.
