Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્ન માટે બનાવેલા મંડપમાં પંખી ઈંડાં મૂકી ગયું, માલિકે કહ્યું કે હવે બચ્ચાં આવશે પછી જ મંડપ કાઢીશ

લગ્ન માટે બનાવેલા મંડપમાં પંખી ઈંડાં મૂકી ગયું, માલિકે કહ્યું કે હવે બચ્ચાં આવશે પછી જ મંડપ કાઢીશ

Published : 20 March, 2026 12:34 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનમાં એક મંડપવાળા ભાઈએ અનોખી માનવતા દાખવી હતી. તેમણે લગ્ન માટે એક આલીશાન ટેન્ટ લગાવ્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


રાજસ્થાનમાં એક મંડપવાળા ભાઈએ અનોખી માનવતા દાખવી હતી. તેમણે લગ્ન માટે એક આલીશાન ટેન્ટ લગાવ્યો હતો. લગ્નના સમારંભો ત્રણેક દિવસ ચાલ્યા. લગ્ન પૂરાં થતાં જ મંડપ ખોલવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ફરાસખાનાના માલિકને એક ખૂણે પંખીનાં ઈંડાં જોવા મળ્યાં. માલિકે તરત જ તેના કામગારોને ટેન્ટ એમ જ છોડી દેવાની સૂચના આપી દીધી. જો ઈંડાંને ત્યાંથી બીજે ખસેડવા માટે હાથ લગાવવામાં આવે તો પણ કદાચ પંખી એને ત્યજી દે. એવા સંજોગોમાં ન જન્મેલાં બચ્ચાંઓનો શો વાંક? માલિકે નક્કી કર્યું કે જ્યાં સુધી ઈંડાંમાંથી બચ્ચાં ન આવી જાય ત્યાં સુધી મંડપ તોડવામાં નહીં આવે. માલિકનું કહેવું છે કે ‘પંખી હોય કે માણસ, બન્નેને પોતાનાં સંતાનો માટે ખૂબ પ્રેમ હોય છે. જો હું પંખીનાં ઈંડાંને હટાવું કે દૂર કરું તો પંખીનાં બચ્ચાંઓનો કકળતો આત્મા મને બદદુઆ આપે.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 12:34 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK