Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પૂજા કરવા માટે આવેલી મહિલાએ ઘંટ વગાડતાં જ કરન્ટથી મરી ગઈ

પૂજા કરવા માટે આવેલી મહિલાએ ઘંટ વગાડતાં જ કરન્ટથી મરી ગઈ

Published : 07 April, 2026 04:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘંટને અડતાં જ કરન્ટથી પુષ્પાબહેન એટલાં દૂર ફેંકાયાં કે ત્યાં ને ત્યાં જ માથામાં વાગવાથી મૃત્યુ પામ્યાં હતાં. 

પૂજા કરવા માટે આવેલી મહિલાએ ઘંટ વગાડતાં જ કરન્ટથી મરી ગઈ

અજબગજબ

પૂજા કરવા માટે આવેલી મહિલાએ ઘંટ વગાડતાં જ કરન્ટથી મરી ગઈ


આગરા પાસેના દારાપુરા ગામમાં હૃદય હચમચાવી દે એવી એક ઘટના ઘટી. એક મહિલા શિવાલયમાં પૂજા કરવા આવી હતી, પરંતુ ઘંટ વગાડતાં જ હાઈ-વૉલ્ટેજ કરન્ટ લાગતાં તે મૃત્યુ પામી હતી. વાત એમ હતી કે મંદિરની ઉપરથી જ ૧૧,૦૦૦ વૉલ્ટનો હાઈ-ટેન્શન વાયર પસાર થઈ રહ્યો હતો. આ વાયર થોડોક નીચો થઈ જતાં મંદિરની છત પર લાગેલા ત્રિશૂળને ટચ થઈ ગયો હતો. એને કારણે ત્રિશૂળના સળિયાની પાસે જ લોખંડની સાંકળ સાથે બાંધેલા ઘંટમાં પણ હાઈ-વૉલ્ટેજ કરન્ટ પસાર થવા લાગ્યો હતો. જ્યારે આ કરન્ટ પસાર થયો એ જ વખતે ૪૯ વર્ષનાં પુષ્પાબહેન મંદિરમાં દર્શન કરવા આવ્યાં. ભગવાનને નમન કરીને તેમણે ઘંટ વગાડ્યો. ઘંટને અડતાં જ કરન્ટથી પુષ્પાબહેન એટલાં દૂર ફેંકાયાં કે ત્યાં ને ત્યાં જ માથામાં વાગવાથી મૃત્યુ પામ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK