Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઉંદરોએ બનાવેલા દરને કારણે દિલ્હીમાં તૂટી પડ્યું બિલ્ડિંગ?

ઉંદરોએ બનાવેલા દરને કારણે દિલ્હીમાં તૂટી પડ્યું બિલ્ડિંગ?

Published : 23 April, 2025 12:47 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના દયાલપુર વિસ્તારના શક્તિ વિહારમાં તૂટી પડેલા ચાર માળના બિલ્ડિંગનો કાટમાળ હટાવી દીધા બાદ જાણવા મળ્યું હતું કે બિલ્ડિંગની નીચે ઉંદરોએ મોટાં-મોટાં દર બનાવ્યાં હતાં અને એને કારણે બિલ્ડિંગના પાયા કાચા પડી ગયા હતા.

દયાલપુર વિસ્તારના શક્તિ વિહારમાં તૂટી પડેલું બિલ્ડિંગ

દયાલપુર વિસ્તારના શક્તિ વિહારમાં તૂટી પડેલું બિલ્ડિંગ


દિલ્હીના દયાલપુર વિસ્તારના શક્તિ વિહારમાં તૂટી પડેલા ચાર માળના બિલ્ડિંગનો કાટમાળ હટાવી દીધા બાદ જાણવા મળ્યું હતું કે બિલ્ડિંગની નીચે ઉંદરોએ મોટાં-મોટાં દર બનાવ્યાં હતાં અને એને કારણે બિલ્ડિંગના પાયા કાચા પડી ગયા હતા. કાટમાળ હટાવનારી ટીમે નોંધ્યું હતું કે બિલ્ડિંગ તૂટી પડ્યું એની સાથે-સાથે એ જમીનમાં ત્રણથી ચાર ફુટ નીચે તરફ ધસી ગયું હતું. બિલ્ડિંગના રહેવાસીઓએ પણ કહ્યું હતું કે બિલ્ડિંગની નીચે ઉંદરોની અવરજવર દેખાતી હતી. આમ એવું લાગી રહ્યું છે કે ઉંદરોને કારણે આ મકાન હોનારત થઈ હોવી જોઈએ.

બીજી તરફ બાજુના બિલ્ડિંગના લોકોએ જણાવ્યું હતું કે સુધરાઈએ જે નાળાં બનાવ્યાં હતાં એ કાચાં છોડી દીધાં હતાં તેથી મકાનના પાયામાં પાણી જતું હતું એટલે પણ પાયા કાચા પડી ગયા હશે. સુધરાઈએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ બાદ હોનારતનાં કારણોની જાણ થશે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2025 12:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK