Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પચીસ રૂપિયાનું અથાણું રેસ્ટોરાંને ૩૫,૦૨૫ રૂપિયામાં પડ્યું

પચીસ રૂપિયાનું અથાણું રેસ્ટોરાંને ૩૫,૦૨૫ રૂપિયામાં પડ્યું

Published : 29 July, 2024 10:03 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કન્ઝ્યુમર કોર્ટે રેસ્ટોરાંને આ ગ્રાહકને અથાણાંના પચીસ રૂપિયા પાછા આપવાનું કહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


તામિલનાડુની એક રેસ્ટોરાંને ૮૦ રૂપિયાની એક એવી પચીસ ડિશનો ઑર્ડર મળ્યો હતો. એક ગ્રાહકે પોતાના ઘરે સ્વજનના મરણપ્રસંગે પચીસ જણ માટે ફૂડ મગાવ્યું હતું. એમાં સફેદ રાઇસ, સાંભાર, રસમ, કોત્તુ, છાશ, અપ્પમ અને પિકલનો સમાવેશ થતો હતો. મૌખિક વાતચીત દરમ્યાન તે ગ્રાહકને કહેવામાં આવ્યું હતું કે દરેક ડિશની સાથે તેમને એક રૂપિયાની કિંમતનું અથાણું પણ આપવામાં આવશે. જોકે રેસ્ટોરાં એ ઑર્ડરમાં અથાણું આપવાનું ભૂલી ગઈ એટલું જ નહીં, ૨૦૦૦ રૂપિયાનું બિલ પણ ઑર્ડર સાથે આપવામાં નહોતું આવ્યું. ૨૦૨૨માં બનેલી આ ઘટના માટે એ વખતે જ કસ્ટમરે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ફૂડ સર્વિસમાં ઊણપ રહી ગઈ અને મહેમાનોને અથાણું ન આપી શક્યા એ તેમના માટે દુખદ ઘટના બની રહી હતી એવી દલીલ કરી હતી. તાજેતરમાં આ કેસનો નિવેડો આવ્યો હતો અને કન્ઝ્યુમર કોર્ટે રેસ્ટોરાંને આ ગ્રાહકને અથાણાંના પચીસ રૂપિયા પાછા આપવાનું કહ્યું છે એટલું જ નહીં, માનસિક હેરાનગતિ બદલ ૩૦,૦૦૦ રૂપિયા અને કોર્ટ કેસ માટે થયેલા ખર્ચ પેટે ૫૦૦૦ રૂપિયા એમ કુલ ૩૫,૦૨૫ રૂપિયા કસ્ટમરને ચૂકવવાનો આદેશ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2024 10:03 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK