ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > વિપક્ષી દળોએ કર્યો પીએમ મોદી દ્વારા થતા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર

વિપક્ષી દળોએ કર્યો પીએમ મોદી દ્વારા થતા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર

25 May, 2023 12:34 IST | New Delhi

PM મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહ માટે ભારતભરના વિવિધ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. જોકે, કૉન્ગ્રેસ અને અન્ય 18 વિપક્ષી પાર્ટીઓએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડા પ્રધાનના હસ્તે નહીં પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે તેવી માગણી વિપક્ષો કરી રહ્યા છે. વિપક્ષોએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા થવું જોઈએ. ઉદ્ઘાટનની નિર્ધારિત તારીને લઈને પણ વિરોધને થઈ રહ્યો છે કારણ કે 28 મે એ વીર દામોદર સાવરકરની જન્મજયંતિ છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓને આ કાર્યક્રમનું `રાજકીયકરણ ન કરવા` અપીલ કરી છે.

25 May, 2023 12:34 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK