Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યોગીની અબ્બાજાન કમેન્ટનો વિવાદ રાજકીય ચિત્ર તો બદલી નહીં નાખેને?

યોગીની અબ્બાજાન કમેન્ટનો વિવાદ રાજકીય ચિત્ર તો બદલી નહીં નાખેને?

16 September, 2021 12:14 PM IST | Lucknow
Agency

યોગીજી હવે જાણે છે કે તેમના શાસનનો અંત નજીક આવ્યો છે ત્યારથી તેમનાં વાણી અને વ્યવહાર બદલાઈ રહ્યાં છે. યોગીજીએ આ જ શબ્દ અગાઉ પણ ઉપયોગમાં લીધો હતો અલબત્ત, જુદા સંદર્ભમાં.

યોગીની અબ્બાજાન કમેન્ટનો વિવાદ રાજકીય ચિત્ર તો બદલી નહીં નાખેને?

યોગીની અબ્બાજાન કમેન્ટનો વિવાદ રાજકીય ચિત્ર તો બદલી નહીં નાખેને?


લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ‘અબ્બાજાન’ની ટિપ્પણી પર ઊહાપોહ સરજાતાં ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં હોય એમ જણાઈ રહ્યું છે. પિતા માટે માનાર્થે વપરાતા શબ્દ ‘અબ્બાજાન’ના ઉપયોગને લઈને આ રાજકીય યુદ્ધ શરૂ થયું છે. તાજેતરમાં ખુશીનગર ખાતે જાહેર સભાને સંબોધન કરતાં યોગી આદિત્યનાથે ટિપ્પણી કરી હતી કે ‘અબ્બાજાન’ બોલનારાઓને અત્યાર સુધી બધું રૅશન મળતું  હતું. યોગીજીએ જણાવ્યું હતું કે ૨૦૧૭ પહેલાં મોટા ભાગના લોકોને રૅશન મળતું નહોતું. યોગીજીનો ઇશારો બેશક સમાજવાદી પાર્ટીના શાસનમાં મુસ્લિમોના તુષ્ટિકરણ તરફ હતો. છેલ્લા થોડા મહિનામાં યોગીજીએ એક કરતાં વધુ વાર વિપક્ષોની મજાક ઉડાવી છે. ખુશી નગરમાં મોદીજીની ‘અબ્બાજાન’ પરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં સમાજવાદી પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું હતું કે યોગીજી હવે જાણે છે કે તેમના શાસનનો અંત નજીક આવ્યો છે ત્યારથી તેમનાં વાણી અને વ્યવહાર બદલાઈ રહ્યાં છે. યોગીજીએ આ જ શબ્દ અગાઉ પણ ઉપયોગમાં લીધો હતો અલબત્ત, જુદા સંદર્ભમાં.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 12:14 PM IST | Lucknow | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK