Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મન કી બાતના ૧૦૦મા એપિસોડમાં શું બોલ્યા PM નરેન્દ્ર મોદી? જાણો તમામ મુદ્દા

મન કી બાતના ૧૦૦મા એપિસોડમાં શું બોલ્યા PM નરેન્દ્ર મોદી? જાણો તમામ મુદ્દા

30 April, 2023 02:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એક રીતે `મન કી બાત`નો દરેક એપિસોડ આગામી એપિસોડ માટે મેદાન તૈયાર કરે છે. `મન કી બાત` હંમેશા સદ્ભાવના, સેવા અને ફરજની ભાવના સાથે આગળ વધી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના રેડિયો કાર્યક્રમ `મન કી બાત` (Mann Ki Baat)નો 100મો એપિસોડ આજે પ્રસારિત થઈ થયો છે. `મન કી બાત`ના જીવંત પ્રસારણ માટે દેશભરમાં ચાર લાખ બૂથ લેવલ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં રેડિયો કાર્યક્રમનું પ્રસારણ થઈ રહ્યું છે.

પીએમ મોદીએ ‘ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ’ એટલે કે ‘ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો’ની વાત કરી હતી. તેમણે કહ્યું કે આજે અમે ચરૈવેતિ ચરૈવેતિની સમાન ભાવના સાથે `મન કી બાત`નો 100મો એપિસોડ પૂર્ણ કરી રહ્યા છીએ. દરેક એપિસોડમાં દેશવાસીઓની સેવા અને શક્તિએ અન્ય લોકોને પ્રેરણા આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એક રીતે `મન કી બાત`નો દરેક એપિસોડ આગામી એપિસોડ માટે મેદાન તૈયાર કરે છે. `મન કી બાત` હંમેશા સદ્ભાવના, સેવા અને ફરજની ભાવના સાથે આગળ વધી છે.



તેમણે કહ્યું કે, “મારો અતૂટ વિશ્વાસ છે કે સામૂહિક પ્રયાસો દ્વારા સૌથી મોટું પરિવર્તન લાવી શકાય છે. આ વર્ષે, જ્યાં આપણે સ્વતંત્રતાના સુવર્ણ યુગમાં આગળ વધી રહ્યા છીએ, તે જ સમયે આપણે G-20ની અધ્યક્ષતા પણ કરવાના છીએ. આ પણ એક કારણ છે કે શિક્ષણની સાથે-સાથે વૈવિધ્યસભર વૈશ્વિક સંસ્કૃતિઓને સમૃદ્ધ કરવાનો આપણો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે.”


PM મોદીએ ઉમેર્યું કે, “તે જ રીતે, આપણે સ્વચ્છ સિયાચીન, સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટ જેવા ગંભીર વિષયો પર સતત વાત કરી છે. આજે સમગ્ર વિશ્વ જેનાથી ચિંતિત છે તે પર્યાવરણના મુદ્દાને ઉકેલવામાં મન કી બાતના પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

વાતચીત આગળ વધારતા તેઓ બોલ્યા કે, “આજે દેશમાં પ્રવાસન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આપણા પ્રાકૃતિક સંસાધનો હોય, નદીઓ હોય, પર્વતો હોય, તળાવ હોય કે પછી આપણા તીર્થસ્થાનો હોય, તેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી પ્રવાસન ઉદ્યોગને ઘણી મદદ મળશે. પર્યટનમાં સ્વચ્છતાની સાથે અમે અતુલ્ય ભારત આંદોલનની પણ ઘણી વખત ચર્ચા કરી છે. આ ચળવળ સાથે, લોકોને પહેલીવાર આવી ઘણી જગ્યાઓ વિશે જાણવા મળ્યું, જે ફક્ત તેમની આસપાસ હતા. હું હંમેશા કહું છું કે વિદેશ પ્રવાસ પર જતા પહેલા આપણે આપણા દેશના ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોની મુલાકાત લેવી જોઈએ અને આ સ્થળો તમે જ્યાં રહો છો તે રાજ્યના ન હોવા જોઈએ, તે તમારા રાજ્યની બહારના હોવા જોઈએ.”


આ પણ વાંચો: ફૅમિલી કોર્ટમાં ગયા વિના સંમતિથી મૅરેજ તોડવાના મામલે સુપ્રીમ કોર્ટ પહેલી...

તેમણે ઉમેર્યું હતું કે, “`મન કી બાત` એક જન આંદોલન બની ગયું છે. બેટી બચાવો-બેટી પઢાવો, સ્વચ્છતા ચળવળ, ખાદી પ્રેમ હોય કે પ્રકૃતિ કી બાત હોય કે પછી સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય, જે પણ `મન કી બાત` કાર્યક્રમ સાથે સંકળાયેલું હતું તે એક જન આંદોલન બની ગયું.”

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2023 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK