પંચમહાભૂતોમાં જળ તત્ત્વને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાણી માત્ર જીવન માટે જરૂરી તત્ત્વ નથી, પરંતુ એ ભાવનાઓ, શાંતિ, સમૃદ્ધિ અને ઉર્જાના પ્રવાહ સાથે પણ જોડાયેલું છે.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દૃષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
પંચમહાભૂતોમાં જળ તત્ત્વને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાણી માત્ર જીવન માટે જરૂરી તત્ત્વ નથી, પરંતુ એ ભાવનાઓ, શાંતિ, સમૃદ્ધિ અને ઉર્જાના પ્રવાહ સાથે પણ જોડાયેલું છે. કોન્શિયસ વાસ્તુ મુજબ પાણીનું યોગ્ય સ્થાન અને ઉપયોગ વ્યક્તિના જીવનમાં સંતુલન, માનસિક શાંતિ અને આર્થિક વૃદ્ધિ લાવવામાં મદદરૂપ બને છે. જ્યારે પાણીનો ખોટો ઉપયોગ અથવા ખોટી દિશામાં સ્થાન હોય ત્યારે જીવનમાં અટકણો, માનસિક અશાંતિ અને ઉર્જામાં અવરોધ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
પાણી શીખવે છે જીવન જીવવાની કળા
પાણીનો સ્વભાવ ખૂબ જ અનોખો છે. એ કોઈપણ અવરોધ સામે લડી પડતું નથી, પરંતુ રસ્તો બનાવી આગળ વધે છે. પાણી આપણને અનુકૂલન, ધીરજ અને મજબૂતી શીખવે છે. પાણી જીવનને પોષણ આપે છે, ગંદકી દૂર કરે છે અને દરેક જગ્યાએ પોતાની હાજરીથી શાંતિનો અનુભવ કરાવે છે.
કોન્શિયસ વાસ્તુમાં પાણી માત્ર ભૌતિક તત્ત્વ નથી, પરંતુ એ જીવનની અંદર રહેલી લાગણીઓ અને આધ્યાત્મિક ઉર્જાનું પણ પ્રતિક માનવામાં આવે છે. યોગ્ય રીતે પાણીનું તત્ત્વ જીવનમાં જોડાય તો એ સમૃદ્ધિ, ઉપચાર અને સકારાત્મકતા લાવે છે.
પાણીની ઉર્જા શાંત પણ શક્તિશાળી
અગ્નિની જેમ પાણી તરત દેખાતું તત્ત્વ નથી, પરંતુ તેની અસર ખૂબ ઊંડી હોય છે. પાણીની ઉર્જા માણસની લાગણીઓ, વિચારો અને આસપાસના વાતાવરણને અસર કરે છે. યોગ્ય રીતે પાણીનો ઉપયોગ મનને શાંતિ આપે છે, જ્યારે ખોટી રીતે પાણીનું સ્થાન તણાવ, અસંતુલન અને નકારાત્મકતા ઊભી કરી શકે છે.
કોન્શિયસ વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસમાં પાણી સાથે જોડાયેલા તત્ત્વો ખૂબ વિચારપૂર્વક રાખવા જોઈએ, કારણ કે તેની અસર ફક્ત ભૌતિક નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્તરે પણ જોવા મળે છે.
પાણીના વિવિધ સ્વરૂપો અને તેમનો અર્થ
પ્રકૃતિમાં પાણી અનેક સ્વરૂપોમાં જોવા મળે છે અને દરેક સ્વરૂપ અલગ પ્રકારની ઉર્જા આપે છે.
નદી સતત પ્રગતિ અને આગળ વધવાનું પ્રતિક છે
તળાવ શાંતિ અને આત્મચિંતન દર્શાવે છે
સમુદ્ર વિશાળતા અને અનંત સંભાવનાઓનું પ્રતિક છે
ફુવારા ઉત્સાહ અને જીવંત ઉર્જા દર્શાવે છે
તળાવડી અથવા પોન્ડ સંરક્ષણ અને સ્થિરતા સાથે જોડાયેલી છે
ઘરમાં વહેતા પાણીનો અવાજ મનને શાંત કરી શકે છે, જ્યારે સમુદ્ર જેવી વિશાળતા માણસને જીવનની અનંત સંભાવનાઓની યાદ અપાવે છે.
પાણીના સૂક્ષ્મ સ્વરૂપો પણ અસર કરે છે
કોન્શિયસ વાસ્તુ મુજબ પાણી ફક્ત દેખાતું તત્ત્વ નથી. રંગો, મટિરિયલ અને ડિઝાઇનમાં પણ પાણીની ઉર્જા છુપાયેલી હોય છે.
પાણી સાથે જોડાયેલા રંગો
વાદળી, ટર્કોઈઝ અને અક્વામરીન જેવા રંગો પાણીનું પ્રતિક માનવામાં આવે છે. આ રંગો શાંતિ, વિશ્વાસ અને ખુલ્લાપણાની લાગણી ઊભી કરે છે.
પાણી જેવી અસર કરતું મટિરિયલ
કાચ, અરીસા અને રિફ્લેક્ટિવ સપાટી પાણીના ગુણો દર્શાવે છે. આવી વસ્તુઓ પ્રકાશને પ્રતિબિંબિત કરીને જગ્યા વધુ શાંત અને ઉર્જાસભર બનાવે છે.
ડિઝાઇન અને પ્રતિકો
વેવ પેટર્ન, ગોળાકાર ડિઝાઇન અને વહેતી રેખાઓ પાણીની ગતિ અને લવચીકતાનું પ્રતિક માનવામાં આવે છે.
જન્મતારીખ અને દિશાઓ સાથે પણ છે જોડાણ
કોન્શિયસ વાસ્તુ અનુસાર પાણીનું તત્ત્વ જન્મતારીખ, દિશાઓ અને ઋતુઓ સાથે પણ જોડાયેલું છે. વ્યક્તિની ડેટ ઑફ બર્થના આધારે પાણીની ઉર્જા કઈ દિશામાં વધુ ફાયદાકારક રહેશે એ જાણી શકાય છે. કેટલીકવાર એ ઘરનો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ એની માહિતી પણ આપે છે.
ઋતુઓ પણ પાણીની જેમ જીવનમાં બદલાવ અને નવી શરૂઆતની શીખ આપે છે. એટલે કોન્શિયસ વાસ્તુમાં પાણીને ફક્ત ભૌતિક તત્ત્વ નહીં પરંતુ એક જીવંત ઉર્જા તરીકે જોવામાં આવે છે.
આગામી લેખમાં પાણીના તત્ત્વ અને તેની ઉર્જા વિશે વધુ રસપ્રદ માહિતી જાણીશું.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com
