વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના કારણે કાર્યકરો તેમનાથી ખૂબ નારાજ છે
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ
મહારાષ્ટ્ર કારોબારીની બેઠકમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદને થપ્પડ મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલા કાર્યકર્તાએ બેઠકની વચ્ચે જ બસપા સાંસદ રામજી ગૌતમને થપ્પડ (Viral Video) મારી દીધી હતી. આ ઘટના બુધવારે દાદરમાં બની હતી. બહુજન સમાજ પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને મહારાષ્ટ્ર કારોબારીની બેઠકમાં મંચ પર એક મહિલા કાર્યકર દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. સાંસદને થપ્પડ મારનાર મહિલા કાર્યકર્તાનું નામ નીમા મોહરકર છે, જે ભંડારાની રહેવાસી છે. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઉપરાંત તેમને પાર્ટીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યાં છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમને ભંડારા-ગોંદિયાથી ટિકિટ (Viral Video) ન આપવાને કારણે તે નારાજ હતી. વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના કારણે કાર્યકરો તેમનાથી ખૂબ નારાજ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ સુનીલ ડોંગરેને હટાવવાના નારા લગાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ ઘટનાના વાયરલ વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે સભા દરમિયાન કાર્યકરો એક પછી એક સાંસદ અને સ્ટેજ પર અન્ય મહાનુભાવોને મળી રહ્યા છે. આ દરમિયાન આ મહિલા કાર્યકર્તા પણ સ્ટેજ પર પહોંચી ગઈ અને અચાનક સાંસદને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
કોણ છે રામજી ગૌતમ?
રામજી ગૌતમ ઉત્તર પ્રદેશના લખીમપુર (ખેરી)ના રહેવાસી છે. તેઓ 1980ની આસપાસ બસપામાં જોડાયા હતા. પાર્ટીએ તેમને બાંદાના સંયોજક બનાવ્યા. બાદમાં તેમને અનેક જિલ્લાઓની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેમને 2018માં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પાર્ટીના આંતરિક મામલામાં તેમની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે. હાલમાં થપ્પડ મારવાની ઘટના પર તેમના તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પાર્ટીએ મહિલા કાર્યકર વિરુદ્ધ શિસ્તનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરી છે અને તેનું સભ્યપદ સમાપ્ત કરી દીધું છે.
અન્ય સમાચાર
લોકસભામાં થયેલા નારાયણ રાણેના વિજયને કોર્ટમાં પડકારવામાં આવ્યો
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નારાયણ રાણેએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વિનાયક રાઉતને ૪૭,૮૫૮ મતના માર્જિનથી હરાવ્યા હતા. નારાયણ રાણેએ આ વિજય મત ખરીદવાની સાથે મતદારોને ધમકાવીને મેળવ્યો હોવાનો આરોપ વિનાયક રાઉતે કર્યો છે અને આ મામલાની તપાસ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હોવાનું જાણવા મળ્યું હતું. વિનાયક રાઉતે અરજીમાં માગણી કરી છે કે ‘લોકસભાની ચૂંટણી વખતે નારાયણ રાણે અને તેમના પુત્ર નીતેશ રાણેએ કાર્યકરોની મદદથી આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અમે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે, પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આથી આ સંબંધે તપાસનો આદેશ આપવામાં આવે.’ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં નારાયણ રાણેને કુલ ૪,૪૮,૫૧૪ મત અને વિનાયક રાઉતને ૪,૦૦,૬૫૬ મત મળ્યા હતા.

