Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરમાં વધુ બે પરપ્રાંતીયની હત્યા

કાશ્મીરમાં વધુ બે પરપ્રાંતીયની હત્યા

18 October, 2021 09:29 AM IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૪ કલાકમાં આતંકવાદીઓએ કર્યો ત્રીજો હુમલો, તમામ પરપ્રાંતીયોને સિક્યૉરિટી કૅમ્પસમાં રાખવાનો પોલીસને આદેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જમ્મુ-કશ્મીરના કુલગામ જિલ્લામાં આંતકવાદીઓએ રવિવારે વધુ બે પરપ્રાંતીય વ્યક્તિઓની હત્યા કરી છે અને એક વ્યક્તિને ઘાયલ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આંતકવાદીઓ દ્વારા સ્થાનિક લોકો પર હુમલા થઈ રહ્યા છે. આ ઘટના બાદ તમામ પરપ્રાંતીય મજૂરોને સિક્યૉરિટી કૅમ્પસમાં રાખવાનો પોલીસને આદેશ અપાયો છે.

કાશ્મીર ઝોનના પોલીસ વિભાગ દ્વારા ટ્વિર પર આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા દળોએ આ વિસ્તારને કૉર્ડન કર્યો છે. પોલીસે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે આંતકવાદીઓએ મજૂરોના ભાડૂતી મકાનમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો.



૨૪ કલાકમાં આ પરપ્રાંતીયો પર ત્રીજો હુમલો છે. બિહારના એક ફેરિયા પર અને ઉત્તર પ્રદેશના એક સુથાર પર શનિવારે હુમલો થયો હતો, જેમાં બન્નેનાં મૃત્યુ થયાં હતાં. બીજેપીના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ ઘટનાને અમાનવીય ગણાવી હતી. દરમ્યાન કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે તમામ ડિસ્ટ્રિક્ટ ચીફને પરપ્રાંતીય મજૂરોને ભેગા કરીને નજીકના સિક્યૉરિટી કૅમ્પસમાં તરત લઈ જવાનો આદેશ આપ્યો છે.


“નિર્દોષ નાગરિકોનાં લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે. આતંકવાદીઓ તેમ જ તેમના સાથીઓને શોધીને કડક સજા કરવામાં આવશે.” : મનોજ સિંહા, ગવર્નર, જમ્મુ-કાશ્મીર


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2021 09:29 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK