Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટોચના નક્સલવાદી નેતાઓ દેવજી અને મલ્લા રાજીરેડ્ડીએ તેલંગણમાં આત્મસમર્પણ કર્યું

ટોચના નક્સલવાદી નેતાઓ દેવજી અને મલ્લા રાજીરેડ્ડીએ તેલંગણમાં આત્મસમર્પણ કર્યું

Published : 23 February, 2026 10:00 AM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘આ એક મહત્ત્વપૂર્ણ સફળતા છે અને આગળની કાર્યવાહી ચાલુ રહેશે`

નક્સલવાદી દેવજી અને મલ્લા.

નક્સલવાદી દેવજી અને મલ્લા.


તેલંગણમાં નક્સલવાદી સંગઠનના ટોચના બે નેતાઓ દેવજી અને મલ્લા રાજીરેડ્ડીએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ આને એક મોટી સફળતા માની રહી છે, કારણ કે તેઓ લાંબા સમયથી સંગઠનમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા છે. દેવજી નક્સલવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિના સચિવ હતા, જ્યારે મલ્લા રાજીરેડ્ડી ભૂતપૂર્વ માઓવાદી પૉલિટ બ્યુરોના સભ્ય હતા.

દેવજી કથિત રીતે બાસવા રાજુની જગ્યાએ કાર્ય કરી રહ્યા હતા અને તેમને એક વરિષ્ઠ મોસ્ટ વૉન્ટેડ નક્સલવાદી માનવામાં આવતા હતા. બન્નેના આત્મસમર્પણથી નક્સલવાદી સંગઠનના ઉચ્ચ સ્તર પર મોટી અસર પડશે. તેમના ૧૭ સાથીઓએ પણ સરેન્ડર કર્યું હતું.



નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘આ એક મહત્ત્વપૂર્ણ સફળતા છે અને આગળની કાર્યવાહી ચાલુ રહેશે. કેટલાક વધુ નક્સલવાદીઓ નિષ્ક્રિય છે અને તેમને આત્મસમર્પણ કરવાની ફરજ પાડવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 10:00 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK