Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આર્યન ખાન ડ્રગ્સકેસમાં શાહરુખ ખાન સામે પણ ફરિયાદ નોંધવાની માગણી

આર્યન ખાન ડ્રગ્સકેસમાં શાહરુખ ખાન સામે પણ ફરિયાદ નોંધવાની માગણી

Published : 23 February, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો સમીર વાનખેડે સામે લાંચ લેવાનો આરોપ છે તો લાંચ આપનાર સેલિબ્રિટીઝ સામે પણ કાર્યવાહી કરવાની અરજી પર આજે સુનાવણી

આર્યન ખાન,  સમીર વાનખેડે

આર્યન ખાન, સમીર વાનખેડે


૨૦૨૧માં એક ક્રૂઝ પર ડ્રગ્સકેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને બચાવવા ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીને પચીસ કરોડ રૂપિયાની લાંચ આપવાના કેસમાં સંડોવાયેલા શાહરુખ ખાન અને અન્ય સેલિબ્રિટિઝ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી. સોમવારે લાંચકેસ માટે કરવામાં આવેલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL)ની બૉમ્બે હાઈ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

PIL-અરજદારે શાહરુખ ખાન, આર્યન ખાન, પૂજા દાદલાણી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) તથા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના કેટલાક અધિકારીઓ સામે FIR નોંધવા માટે આદેશ આપવાની માગણી કરી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે લાંચના આરોપોને કારણે ભૂતપૂર્વ NCB ઑફિસર સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ લાંચ આપનારાઓને આરોપી બનાવવામાં આવ્યા નથી. જોકે લાંચ આપવી એ પણ ઍન્ટિ કરપ્શન લૉ હેઠળ ગુનો હોવાથી લાંચ આપનાર સેલિબ્રિટી પર પણ કાર્યવાહીની માગણી થઈ રહી છે.
આ કેસમાં શાહરુખ ખાને કોઈ લાંચ આપવામાં આવી ન હોવાનો દાવો કર્યો છે, જ્યારે અરજદારના કહેવા મુજબ જો લાંચ આપવામાં આવી ન હોય તો સમીર વાનખેડે સામે લાંચ સ્વીકારવા બદલ કેસ કઈ રીતે નોંધાય. આવતી કાલે અરજીની સુનાવણીમાં કાયદાને ધ્યાનમાં રાખીને તટસ્થ તપાસ થાય એવી માગણી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK