Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલમાં ધર્માંતરણ કરાવાય છેના દેકારા વચ્ચે મધ્યપ્રદેશની સ્કૂલ પર પથ્થર મારો

સ્કૂલમાં ધર્માંતરણ કરાવાય છેના દેકારા વચ્ચે મધ્યપ્રદેશની સ્કૂલ પર પથ્થર મારો

07 December, 2021 02:02 PM IST | Vidisha
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મધ્યપ્રદેશના વિદિશા (MadhyaPradesh Vidisha) જિલ્લાના ગંજ બાસોદામાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં સોમવારે કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક


મધ્યપ્રદેશના વિદિશા (MadhyaPradesh Vidisha) જિલ્લાના ગંજ બાસોદામાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં સોમવારે કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે શાળાએ 8 બાળકોનું ધર્માંતરણ કર્યું હતું તથા તેમના માતાપિતાને રવિવારે ચર્ચમાં આવવાનું દબાણ કરવામાં આવે છે. આ પથ્થરમારો ત્યારે થયો જ્યારે શાળામાં બાળકો CBSE 12માની પરીક્ષા આપી રહ્યા હતા.

તોફાનીઓ પોતાને હિન્દુત્વ સંગઠનના હોવાનો દાવો કરી રહ્યા હતા. હિંદુવાદી નેતા નિલેશ અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે શાળામાં 8 બાળકોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. બાળ આયોગે પણ કલેક્ટરને પત્ર લખીને મુદ્દો ઉઠાવ્યો હતો. આ સંસ્થાઓમાં શિક્ષણ, આરોગ્યના નામે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. હિંદુ માન્યતાઓ પર પ્રતિબંધ છે. બાળકો અને તેમના માતાપિતાને ડિસેમ્બરમાં રવિવારે ચર્ચના કાર્યક્રમોમાં હાજરી આપવાની ફરજ પાડવામાં આવે છે. જો ધર્મ પરિવર્તનના પ્રયાસો ચાલુ રહેશે તો હિન્દુ જાગરણ મંચ, વીએચપી, બજરંગ દળ, એબીવીપી જેવા સંગઠનો તેનો વિરોધ કરશે.



ઘટના બાદ સ્કૂલના મેનેજર બ્રધર એન્ટનીએ જણાવ્યું હતું કે પોલીસ અને પ્રશાસનને સ્કૂલના ઘેરાવ અંગે અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. જે સમયે પથ્થરમારો થયો તે સમયે શાળામાં 12મા ધોરણની પરીક્ષા ચાલી રહી હતી. 14 જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા હતા, તેઓ શાળામાં હતા. તોડફોડથી બાળકો ગભરાઈ ગયા હતા. શાળાનો સ્ટાફ પણ શાળામાં હતો. વહીવટીતંત્રને અગાઉથી જાણ હોવા છતાં પણ આ તોડફોડ થઈ છે, જે પોલીસ-પ્રશાસનની કામગીરી પર સવાલો ઉભા કરે છે.


તેમનું કહેવું છે કે શાળા અંગે એક પત્ર ફરી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે શાળાના આઠ હિન્દુ વિદ્યાર્થીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આ વિદ્યાર્થીઓ અમારી શાળાના નથી. આ પત્ર 31 ઓક્ટોબર, રવિવારનો છે. રવિવારે શાળામાં કોઈ હોતું નથી. પત્ર જોયા બાદ મેં પોલીસને જાણ કરી હતી, આ પછી પણ શાળાની સુરક્ષામાં માત્ર બે પોલીસકર્મી તૈનાત હતા.

એસડીએમ રોશન રોયે કહ્યું કે શાળાની સુરક્ષા માટે પૂરતો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે ટોળાને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, તેણે પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં તમામ લોકો સુરક્ષિત છે. કોઈને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. તે જ સમયે, SDOP ભારતભૂષણ શર્માનું કહેવું છે કે પોલીસની બંદોબસ્તમાં કોઈ કમી નથી.


ગંજ બાસોદામાં સેન્ટ જોસેફ સ્કૂલમાં પથ્થરમારાની ઘટના બાદ શહેરના ચર્ચ અને ભારત માતા કોન્વેન્ટ સ્કૂલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એસપી અને કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એસપી મોનિકા શુક્લાએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત જણાશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આંદોલનકારીઓએ વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું છે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 02:02 PM IST | Vidisha | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK