Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એકેએકને વીણી-વીણીને જવાબ અપાશે અને જવાબ લેવાશે પણ, આ નરેન્દ્ર મોદીનું ભારત છે

એકેએકને વીણી-વીણીને જવાબ અપાશે અને જવાબ લેવાશે પણ, આ નરેન્દ્ર મોદીનું ભારત છે

Published : 02 May, 2025 07:27 AM | Modified : 03 May, 2025 06:31 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું તમામ આતંક ફેલાવનારાઓને કહેવા માગું છું કે આ લડાઈનો અંત નથી, દરેક વ્યક્તિને વીણી-વીણીને જવાબ મળશે અને જવાબ લેવામાં પણ આવશે.’ 

ગઈ કાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહ.

ગઈ કાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહ.


જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાને લઈને દેશભરના લોકો ગુસ્સામાં છે. ભારતીય સેના જવાબી કાર્યવાહીની તૈયારીમાં છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં ગુરુવારે એક કાર્યક્રમ દરમ્યાન આતંકવાદીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘આ નરેન્દ્ર મોદીની સરકાર છે, આ નરેન્દ્ર મોદીનું ભારત છે. પહલગામ હુમલાનો વીણી-વીણીને બદલો લેવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. સમગ્ર દેશની જનતાને એ જણાવવા માગું છું કે ૯૦ના દાયકાથી કાશ્મીરમાં જે આતંકવાદ ચાલી રહ્યો છે એની વિરુદ્ધ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટૉલરન્સની નીતિ છે. અમે મજબૂતી સાથે પોતાની લડાઈ લડ્યા છીએ અને આજે કોઈ એવું ન સમજે કે અમારા ૨૬ નાગરિકોના જીવ લઈને તેઓ આ લડાઈ જીતી ગયા છે. હું તમામ આતંક ફેલાવનારાઓને કહેવા માગું છું કે આ લડાઈનો અંત નથી, દરેક વ્યક્તિને વીણી-વીણીને જવાબ મળશે અને જવાબ લેવામાં પણ આવશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2025 06:31 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK