પોલીસે એવું પણ કહ્યું છે કે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો ત્યારે ગૂંગળામણને કારણે તે મૃત્યુ પામી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઑગસ્ટ મહિનામાં અહીંના ઓલ્ડ નાંગલ સ્મશાનમાં ૯ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા પછી તેની હત્યા કરવાના સનસનાટીભર્યા બનાવમાં રાધેશ્યામ નામનો જે પૂજારી મુખ્ય આરોપી છે તેણે પોતાના મોબાઇલ દ્વારા ૧૩૦૦ જેટલી પૉર્ન સાઇટ્સ જોઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે એવું પણ કહ્યું છે કે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો ત્યારે ગૂંગળામણને કારણે તે મૃત્યુ પામી હતી.
આ ઘટનાના બીજા આરોપીઓમાં કુલદીપ સિંહ, સલીમ અહમદ અને લક્ષ્મી નારાયણનો સમાવેશ થાય છે. બીજી ઑગસ્ટે બાળકી પાણી ભરવા સ્મશાનમાં ગઈ ત્યારે તેની સાથે આ અમાનવીય વર્તાવ કરવામાં આવ્યો હતો.
કહેવાય છે કે રાધેશ્યામે પોતાનો એક હાથ બાળકીના મોં પર રાખી મૂક્યો હોવાથી તે ગૂંગળાઈ જતાં મૃત્યુ પામી હતી અને પછી આરોપીઓએ બાળકીને ત્યાં જ તેના અગ્નિ સંસ્કાર કરી
નાખ્યા હતા.