Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનના તાલિબાનના વિદેશ પ્રધાન પહેલી વખત આવશે ભારતની મુલાકાતે, જાણો વિગતો

અફઘાનિસ્તાનના તાલિબાનના વિદેશ પ્રધાન પહેલી વખત આવશે ભારતની મુલાકાતે, જાણો વિગતો

Published : 03 October, 2025 03:17 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અધિકારીઓએ પુષ્ટિ આપી કે UNSCની 1988ની પ્રતિબંધ સમિતિએ 30 સપ્ટેમ્બરના રોજ અમીર ખાન મુત્તાકીને મંજૂરી આપી હતી, જેનાથી મુત્તાકીને 9 થી 16 ઑક્ટોબર વચ્ચે ભારતની મુસાફરી કરવાની મંજૂરી મળી હતી. તેઓ 10 ઑક્ટોબરના રોજ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરને મળશે.

તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી (તસવીર: X)

તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી (તસવીર: X)


અફઘાનિસ્તાનના તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીને UNSC દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવ્યા બાદ આવતા અઠવાડિયે તેઓ ભારતની મુલાકાત લેશે તેવી શક્યતા છે. ઑગસ્ટ 2021માં તાલિબાન જૂથ દ્વારા કાબુલ પર કબજો કરવામાં આવ્યા પછી તાલિબાનના વરિષ્ઠ નેતા દ્વારા નવી દિલ્હીની આ પહેલી યાત્રા હશે જેના પર બધાની નજર 

UNSCએ મુત્તાકીની ભારત મુલાકાતને મંજૂરી આપી



અધિકારીઓએ પુષ્ટિ આપી કે UNSCની 1988ની પ્રતિબંધ સમિતિએ 30 સપ્ટેમ્બરના રોજ અમીર ખાન મુત્તાકીને મંજૂરી આપી હતી, જેનાથી મુત્તાકીને 9 થી 16 ઑક્ટોબર વચ્ચે ભારતની મુસાફરી કરવાની મંજૂરી મળી હતી. તેઓ 10 ઑક્ટોબરના રોજ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરને મળે તેવી અપેક્ષા છે. અહેવાલ મુજબ, અગાઉ સપ્ટેમ્બરમાં અમેરિકા અને પાકિસ્તાનના વાંધાને કારણે જ્યારે અમીર ખાન મુત્તાકીની મુલાકાતનો અવરોધ કરવામાં આવ્યો હતી ત્યારે તેઓ ભારતની મુલાકાત લઈ શક્યા ન હતા. આ મુલાકાતને ભારત દ્વારા તાલિબાનના શાસનને ઔપચારિક રીતે માન્યતા આપ્યા વિના તેની સાથે કાર્યકારી સંબંધો મજબૂત કરવાના કાળજીપૂર્વકના પુનર્ગઠન તરીકે જોવામાં આવી રહી છે. નવી દિલ્હીએ પ્રાદેશિક હિતોનું રક્ષણ કરવા અને ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે 2022ના મધ્યમાં કાબુલમાં રાજદ્વારી હાજરી ફરીથી સ્થાપિત કરવાનં પ્રયત્નો શરૂ કર્યા છે.


તાલિબાન ભારતમાં તેમના દૂતાવાસની ભૂમિકાને વ્યાપક બનાવવા માગે છે

તાલિબાનના અધિકારીઓ દિલ્હીમાં અફઘાન દૂતાવાસ અને મુંબઈ અને હૈદરાબાદમાં કોન્સ્યુલેટમાં તેમના રાજદ્વારી પ્રતિનિધિત્વને વિસ્તૃત કરવા માટે દબાણ કરે તેવી આ મુલાકાત દરમિયાન ચર્ચા થવાની શક્યતા છે. આ પ્રવાસ તાલિબાન પાકિસ્તાનના તંગ સંબંધો અને અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રવ્યાપી મેસેજ બ્લૅકઆઉટની ટીકા થયાના દિવસો પછી થયો છે. તાલિબાન માટે, નવી દિલ્હીની મુલાકાત કાયદેસરતા મેળવવાના બીજા પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારત માટે, તે આતંકવાદ વિરોધી પ્રતિબદ્ધતાઓ સુરક્ષિત કરવા માટે એક ચૅનલ પ્રદાન કરે છે - ખાસ કરીને એપ્રિલમાં પાકિસ્તાન સ્થિત પ્રોક્સીઓ દ્વારા પહલગામ આતંકવાદી હુમલાની તાકીદ કર્યા પછી. મુત્તાકીની દિલ્હીની યાત્રા 6 ઑક્ટોબરે રશિયામાં તેમના રોકાણ પછી થશે.


અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે આખા દેશમાં ઇન્ટરનેટ અને મોબાઇલ-સર્વિસ બંધ કરીને સંપૂર્ણપણે કમ્યુનિકેશન સિસ્ટમ ઠપ કરી નાખી હતી. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદજાદાએ સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં અનૈતિકતા અને ખરાબ કામો રોકવા માટે કેટલાક પ્રાંતોમાં હાઈ-સ્પીડ કનેક્શન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ઇન્ટરનેટનું નિયંત્રણ કરતી સંસ્થા નેટબ્લૉક્સના જણાવ્યા અનુસાર સોમવાર રાતથી જ દેશભરમાંથી મોબાઇલ ફોનનાં સિગ્નલ અને ઇન્ટરનેટ-સર્વિસ ધીમે-ધીમે નબળાં થઈ ગયાં હતાં. મંગળવારે તો ઇન્ટરનેટની સાથે-સાથે ટેલિફોન-સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હતી. તાલિબાન સરકારનું કહેવું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ દુષ્કર્મો માટે થતો હોવાથી એને નાથવા માટે આમ કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ સંચારવ્યવસ્થા બંધ છે, પરંતુ તાલિબાન સરકારે કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું. મોબાઇલ ચાલતો ન હોવાથી દેશમાં સંપૂર્ણપણે છુટ્ટીનો માહોલ થઈ ગયો હતો. મંગળવારે યુનાઇટેડ નેશન્સે પણ તાલિબાન સરકારને અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ અને ટેલિકૉમ-સર્વિસ તરત પાછાં ચાલુ કરવાની અપીલ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2025 03:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK