ટાઉન ડીએસપી-૧ રાજેશ રંજને જણાવ્યું હતું કે ‘જ્ઞાન બિંદુ’ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર રોશન આનંદ - તેના બે સાથીઓ, અભિષેક અને ગૌરવ સાથે ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે.
ખાન સર
બિહારના પટણામાં લોકપ્રિય શિક્ષક અને યુટ્યુબર ખાન સર દ્વારા સંચાલિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ની બહાર બનેલી હિંસક ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે. આ કેસના સંદર્ભમાં, અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ, વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા, જ્યારે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. આ ઘટના મંગળવારે રાત્રે રાજ્યની પટણાના મુસલ્લાહપુર હાટ વિસ્તારમાં બની હતી. ખાન સરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર ગોળીબાર થયો હતો અને એક સુરક્ષા ગાર્ડને ઈજા થઈ હતી. જોકે, અત્યાર સુધી ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજની તપાસના આધારે, પોલીસે જણાવ્યું છે કે ગોળીબારના અહેવાલો પુષ્ટિ નથી.
ત્રણ આરોપીઓની ધરપકડ
ADVERTISEMENT
ટાઉન ડીએસપી-૧ રાજેશ રંજને જણાવ્યું હતું કે ‘જ્ઞાન બિંદુ’ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર રોશન આનંદ - તેના બે સાથીઓ, અભિષેક અને ગૌરવ સાથે ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. કનૈયા સિંહે આ મામલે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) નોંધાવ્યો છે. એફઆઈઆરમાં 10 થી 15 અજાણ્યા વ્યક્તિઓ ઉપરાંત ચાર ચોક્કસ વ્યક્તિઓના નામ આરોપી તરીકે છે.
CCTV માં તોડફોડ રેકોર્ડ
View this post on Instagram
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં કેટલાક લોકો કોચિંગ સેન્ટરની બહાર પથ્થરમારો કરતા, હોર્ડિંગ્સને નુકસાન પહોંચાડતા અને એક સુરક્ષા ગાર્ડ પર શારીરિક હુમલો કરતા જોવા મળે છે. DSP રાજેશ રંજને માહિતી આપી હતી કે પોલીસને રાત્રે 10:00 વાગ્યાની આસપાસ ઘટનાની માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે લોકોના એક જૂથે કોચિંગ સેન્ટર પર ઇંટો અને પથ્થર ફેંક્યા હતા, જેના કારણે ત્યાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સને નુકસાન થયું હતું. ઘાયલ સુરક્ષા ગાર્ડ હાલમાં પટના મૅડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ખાન સર સામે છે નારાજગી
ઘટના પછી બોલતા, ખાન સરે જણાવ્યું કે તેમના સુરક્ષા ગાર્ડે કથિત ગુનેગારોને ઓળખી કાઢ્યા છે, અને તેમનું માનવું છે કે પરિસરના બીજા હરીફ કોચિંગ સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓએ આ ઘટનામાં ભૂમિકા ભજવી હોઈ શકે છે. તેમણે ટિપ્પણી કરી, "અમારા સુરક્ષા ગાર્ડે ખરેખર આરોપીઓને ઓળખી કાઢ્યા છે. હવે આ બાબત પ્રશાસને સંભાળવાની છે. અમને સુરક્ષાની જરૂર છે." ખાન સરે એવો પણ દાવો કર્યો હતો કે અમુક લોકોને એ વાત સામે વાંધો છે કે કે તેમની સંસ્થા ઓછી ફી વસૂલવા છતાં ઉત્તમ રિઝલ્ટ અને શિક્ષણ આપી રહી છે. તેમણે કહ્યું, "ગરીબોને પણ શિક્ષણનો અધિકાર છે. જ્યારે હજારોમાં પરિણામો આવે છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો ભય અનુભવવા લાગે છે." જોકે, તેમણે પાછળથી નોંધ્યું કે આ મામલાની તપાસ ચાલુ છે, અને આ તબક્કે તે સ્પષ્ટ નથી કે સમગ્ર ઘટના પાછળ ખરેખર શું હતું. તેમણે વધુમાં સમજાવ્યું કે, તે સમયે પ્રવર્તતા તણાવપૂર્ણ વાતાવરણને કારણે, પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજવી મુશ્કેલ હતી. નોંધનીય છે કે, ઘટનાના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી FIRમાં કોઈ ગોળીબારનો ઉલ્લેખ નથી.
વિદ્યાર્થીઓનો વિરોધ
ઘટનાના બીજા દિવસે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાન સરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. ઘણા વિદ્યાર્થીઓએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માગણી સાથે રસ્તો બ્લૉક કરી દીધો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા હતા, અને ખાન સરે પણ વિદ્યાર્થીઓને શાંત રહેવા અને ઘરે જવા માટે અપીલ કરી.
