Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું છે સેંગોલ, જેને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરશે સરકાર, `રાજદંડ`નું શું મહત્વ

શું છે સેંગોલ, જેને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરશે સરકાર, `રાજદંડ`નું શું મહત્વ

24 May, 2023 06:50 PM IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વતંત્રતાના એક `મહત્વપૂર્ણ ઐતિહાસિક` પ્રતીક `સેંગોલ` (રાજદંડ)ની પ્રથાને ફરી શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું કે આ અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક હતું.

સેંગોલ (તસવીર સૌજન્ય અમિત શાહ ટ્વિટર અકાઉન્ટ)

સેંગોલ (તસવીર સૌજન્ય અમિત શાહ ટ્વિટર અકાઉન્ટ)


28મેના રોજ ભારતના બહુપ્રતિક્ષિત નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બુધવારે સવારે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. તેમણે કહ્યું કે નવું સંસદ ભવન આપણાં ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, પરંપરા અને સભ્યતાને આધુનિકતા સાથે જોડવાનો સુંદર પ્રયત્ન છે. આ અવસરે એક ઐતિહાસિક પરંપરા પુનર્જીવિત થઈ રહી છે. તેમણે જાહેરાત કરી છે કે નવા સંસદ ભવનમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે.

સેંગોલ કેમ આવ્યું ચર્ચામાં?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વતંત્રતાના એક `મહત્વપૂર્ણ ઐતિહાસિક` પ્રતીક `સેંગોલ` (રાજદંડ)ની પ્રથાને ફરી શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું કે આ અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક હતું, શાહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા તામિલનાડુથી સેંગોલ પ્રાપ્ત કરશે અને તેઓ આને નવા સંસદ ભવનની અંદર મૂકશે. સેંગોલ સ્પીકરની સીટ પાસે રાખવામાં આવશે.



ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આ પવિત્ર સેંગોલને કોઈ સંગ્રહાલયમાં રાખવું અયોગ્ય છે. સેંગોલની સ્થાપના માટે સંસદ ભવનથી વધારે ઉપયુક્ત, પવિત્ર અને યોગ્ય સ્થળ અન્ય કોઈ ન હોઈ શકે. આથી જ્યારે સંસદ ભવન દેશને સમર્પિત થશે, તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ વિનમ્રતા સાથે તામિલનાડુથી આવેલા અધીનમથી સેંગોલનો સ્વીકાર કરશે."


તેમણે જણાવ્યું કે આ સેંગોલનું મહત્વ ખૂબ જ વધારે છે. પીએમ મોદીને જ્યારે આ વિશે ખબર પડી તો તેમણે આ વિશે વધુ માહિતી મેળવવા કહ્યું.

શું છે સેંગોલનો ઇતિહાસ?
સેંગોલ તામિલ ભાષાના શબ્દ `સેમ્મઈ`માંથી ઉદ્ભવેલો શબ્દ છે. આનો અર્થ થાય છે ધર્મ, સત્ય અને નિષ્ઠા. સેંગોલ રાજદંડ ભારતીય સમ્રાટની શક્તિ અને અધિકારનું પ્રતીક હતું.


સેંગોલના ઇતિહાસની માહિતી આપતા શાહે જણાવ્યું કે 14 ઑગસ્ટ 1947ના રોજ 10.45 વાગ્યાની આસપાસ લગભગ જવાહરલાલ નેહરૂએ તામિલનાડુની જનતા પાસેથી આ સેંગોલનો સ્વીકાર કર્યો હતો. આ અંગ્રેજો પાસેથી આ દેશના લોકો માટે સત્તાના હસ્તાંતરણનું સંકેત હતો. તેમણે જણાવ્યું કે આને ઈલાહાબાદના એક સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો અને આને નવા સંસદ ભવનમાં લાવવામાં આવશે.

આ પણ વાંચો : નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પર વિવાદ: RJD-NCPએ કર્યો બહિષ્કાર, જાણો કોણે કર્યો વિરોધ

અમિત શાહે જણાવ્યું કે સેંગોલ જેને આપવામાં આવે છે તેની પાસેથી ન્યાયસંગત અને નિષ્પક્ષ શાસન પ્રસ્તુત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ભારતની સ્વતંત્રતાના સમયે આ પવિત્ર સેંગોલને પ્રાપ્ત કરવાની ઘટનાને વિશ્વભરના મીડિયાએ વ્યાપકરૂપે કવર કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ભારતને સ્વર્ણ રાજદંડ મળ્યા બાદ કલાકૃતિને એક જુલૂસ તરીકે સંવિધાન સભા હૉલમાં પણ લઈ જવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 06:50 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK