ચોર આપણી વચ્ચે છે, પાકિસ્તાનમાં નહીં એવું બોલનારા ખેડૂતનેતા રાકેશ ટિકૈતને પબ્લિકે પાઠ ભણાવ્યો, પહલગામ હુમલા બાદ રાકેશ ટિકૈતે હરિયાણાના કરનાલમાં નિવેદન આપતાં કહ્યું હતું કે ‘આ ઘટનાથી કોને ફાયદો થઈ રહ્યો છે? ચોર આપણી વચ્ચે છે, પાકિસ્તાનમાં નહીં.
મુઝફ્ફરનગરમાં લાઠીથી હુમલો, માથેથી પાઘડી પાડી દેવાઈ
પહલગામ આતંકવાદી હુમલા વિશે વિવાદાસ્પદ નિવેદન આપનારા ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત પર શુક્રવારે મુઝફ્ફરનગરમાં લાઠીથી હુમલો થયો હતો અને તેમની પાઘડી પાડી નાખવામાં આવી હતી.



