કાશ્મીરમાં પરિસ્થિતિ જે રીતે બદલાઈ રહી છે અને ત્યાં જે રીતે આર્થિક વિકાસ જોવા મળી રહ્યો છે એ જોતાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોકો જ માગણી કરશે કે તેમણે ભારતમાં ભળી જવું જોઈએ
રાજનાથ સિંહ
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર પોતાનો દાવો ભારત ક્યારેય જતો નહીં કરશે, પરંતુ લશ્કરી દળોના ઉપયોગ દ્વારા એને કબજે નહીં કરશે, કેમ કે કાશ્મીરમાં વિકાસ જોયા બાદ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોકો સ્વેચ્છાએ ભારતનો હિસ્સો બનશે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું છે. મારું માનવું છે કે ભારતે કંઈ કરવાનું નહીં રહેશે. કાશ્મીરમાં પરિસ્થિતિ જે રીતે બદલાઈ રહી છે અને ત્યાં જે રીતે આર્થિક વિકાસ જોવા મળી રહ્યો છે એ જોતાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોકો જ માગણી કરશે કે તેમણે ભારતમાં ભળી જવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.