Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચિનાબ નદીનું પાણી રોક્યા બાદ ભારતનું વધુ એક મોટું પગલું બે જળાશયોની સંગ્રહક્ષમતા વધારવાનું કામ શરૂ

ચિનાબ નદીનું પાણી રોક્યા બાદ ભારતનું વધુ એક મોટું પગલું બે જળાશયોની સંગ્રહક્ષમતા વધારવાનું કામ શરૂ

Published : 06 May, 2025 03:26 PM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર હાલની બે જળવિદ્યુત પરિયોજના સલાલ અને બગલિહારનાં જળાશયોની સંગ્રહક્ષમતા વધારવાનું કામ શરૂ કર્યું છે.

ચિનાબ નદીમાં પાણી હવે એટલું ઘટી ગયું છે કે ગઈ કાલે એમાં કેટલાય લોકો ચાલતા જોવા મળ્યા હતા.

ચિનાબ નદીમાં પાણી હવે એટલું ઘટી ગયું છે કે ગઈ કાલે એમાં કેટલાય લોકો ચાલતા જોવા મળ્યા હતા.


પહલગામ આતંકી હુમલાના તુરંત બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ-સંધિને રદ કરી દીધી હતી. ભારત સરકારના આ પગલાથી પાકિસ્તાન લાલઘૂમ થઈ ગયું છે. એવામાં હવે ભારત કાશ્મીરના હિમાલયના વિસ્તારમાં જળવિદ્યુત પરિયોજના પર પણ કામ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર હાલની બે જળવિદ્યુત પરિયોજના સલાલ અને બગલિહારનાં જળાશયોની સંગ્રહક્ષમતા વધારવાનું કામ શરૂ કર્યું છે.


એ અંતર્ગત ભારતની સૌથી મોટી હાઇડ્રોપાવર કંપની નૅશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન (NHPC) અને જમ્મુ-કાશ્મીર સરકારે પહેલી મેથી જળાશયોમાં જમા થયેલા કાંપને દૂર કરવા માટે ફ્લશિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે આ પ્રક્રિયાથી પાકિસ્તાનને પૂરું પાડવામાં આવતા પાણી પર તાત્કાલિક અસર નહીં થાય, પરંતુ અન્ય પરિયોજનાને અસર કરશે. હિમાલયી ક્ષેત્રમાં આવી ડઝનથી વધારે પરિયોજના છે. બીજી તરફ ભારત હવે વધુમાં વધુ વીજળીનું ઉત્પાદન કરી શકશે અને ટર્બાઇનને નષ્ટ થવાથી બચાવી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 03:26 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK