Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારી ખાતાંઓને એક છત્ર તળે લાવશે આ કર્તવ્ય ભવન

સરકારી ખાતાંઓને એક છત્ર તળે લાવશે આ કર્તવ્ય ભવન

Published : 06 August, 2025 09:04 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલા બે હિસ્સાનું કામ ચાલુ છે, ત્રીજા બિલ્ડિંગને આજે નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

કર્તવ્ય ભવન

કર્તવ્ય ભવન


દિલ્હીમાં શાસ્ત્રી ભવન, કૃષિ ભવન, નિર્માણ ભવન જેવાં ઘણાં સરકારી બિલ્ડિંગો દશકો જૂનાં અને પુરાણાં થઈ ગયાં હોવાથી એમાં સુરક્ષા અને સુવિધાની કમી હતી. એ તમામ ભવનોનાં તમામ મંત્રાલયોનું કાર્યાલય એક જ જગ્યાએ થઈ શકે અને તમામ મહત્ત્વનાં મંત્રાલયો વચ્ચે સંયોજનની પ્રક્રિયા સરળ બને એ માટે નવા કર્તવ્ય ભવનનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ કર્તવ્ય ભવનના ત્રણ હિસ્સા છે. એમાંથી ત્રીજા હિસ્સાનું લોકાર્પણ આજે વડા પ્રધાન કરશે. પહેલા અને બીજા નંબરના કર્તવ્ય ભવનનું કામકાજ પણ લગભગ પૂરું થવાના આરે છે. કર્તવ્ય ભવન એનર્જી-એફિશ્યન્ટ, ઇકો-ફ્રેન્ડ્લી, ડિજિટલ સ્માર્ટ અને સુરક્ષાની દૃષ્ટિએ આધુનિક છે. નવાં બિલ્ડિંગો ગ્રીન ટેક્નૉલૉજીથી બન્યાં હોવાથી એમનું મેઇન્ટેનન્સ ઓછું આવશે. ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત તમામ સરકારી કામકાજને ડિજિટલ સ્વરૂપે સંચાલિત કરવાનું અહીં સંભવ બનશે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2025 09:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK