Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત-યુકેની ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ પાયોઃ પીએમ નરેન્દ્ર મોદી

ભારત-યુકેની ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ પાયોઃ પીએમ નરેન્દ્ર મોદી

Published : 09 October, 2025 02:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Narendra Modi in Mumbai: મુંબઈમાં પીએમ મોદીએ યુકેના પીએમ કીર સ્ટારમર સાથે મુલાકાત કરી; ભારત અને યુકેને લોકશાહી અને સહિયારા મૂલ્યો દ્વારા એકતા ધરાવતા "કુદરતી ભાગીદારો" ગણાવ્યા

મુંબઈમાં રાજભવન  ખાતે યુકેના પીએમને મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મુંબઈમાં રાજભવન ખાતે યુકેના પીએમને મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મર (Keir Starmer) એ ગુરુવારે મુંબઈ (Mumbai) ના રાજભવન (Raj Bhavan) ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં ભારત-યુકે સંબંધોની વધતી જતી મજબૂતાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમની ચર્ચામાં, નેતાઓએ લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનમાં મૂળ ધરાવતા બંને રાષ્ટ્રો વચ્ચેની કુદરતી ભાગીદારી પર ભાર મૂક્યો હતો, જ્યારે વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને વૈશ્વિક સુરક્ષામાં સહયોગના નવા માર્ગો પર પ્રકાશ પાડ્યો હતો. મોદીએ સ્ટાર્મરના નેતૃત્વ હેઠળ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની પ્રશંસા કરી હતી, જ્યારે સ્ટાર્મરની મુલાકાત - યુકેના અત્યાર સુધીના સૌથી મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે - આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતની ગતિશીલતા અને યુકેની કુશળતા મળીને એક વિશિષ્ટ તાલમેલ બનાવે છે.



મુંબઈના રાજભવનમાં યુકે (UK) ના વડા પ્રધાન કીર સ્ટારમર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજ્યાના કલાકો પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Mumbai) એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આપણી ભાગીદારી વિશ્વસનીય છે અને પ્રતિભા અને ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે બંને દેશોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ કરશે.’ સમાચાર એજન્સી IANS ને ટાંકીને આ સમાચાર આપવામાં આવ્યા છે.


પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં બન્ને દેશોની દોસ્તી પર ભાર મૂક્યો અને કહ્યું કે, ‘ભારત અને યુકે કુદરતી ભાગીદારો છે. આપણા સંબંધોનો પાયો લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારી માન્યતા છે. વૈશ્વિક અસ્થિરતાના વર્તમાન યુગમાં, ભારત અને યુકે વચ્ચેની આ વધતી ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને આર્થિક પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ પાયો બની રહી છે.’

સ્ટાર્મરના નેતૃત્વમાં યુકેની પ્રગતિની પ્રશંસા કરતા,પ્રધાનમંત્રી મોદીએ એ પણ પ્રકાશિત કર્યું કે, ‘વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં, ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.’ જુલાઈની શરૂઆતમાં યુનાઇટેડ કિંગડમની તેમની મુલાકાત પર પ્રકાશ પાડતા, ભારતીય વડા પ્રધાને વધુમાં કહ્યું કે, ‘જુલાઈમાં મારી યુકે મુલાકાત દરમિયાન, અમે ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર એક કરાર પર પહોંચ્યા.’


યુકે પીએમ કીર સ્ટાલ્મરની ભારત મુલાકાત યુકે-ભારત સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું છે તેના પર ભાર મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યું કે, ‘કરારના થોડા મહિના પછી જ તમારી ભારત મુલાકાત અને અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ તમારી સાથે આવ્યું છે તે ભારત-યુકે ભાગીદારીમાં નવી ઊર્જા અને વ્યાપક દ્રષ્ટિકોણનું પ્રતીક છે.’

યુકેના સમકક્ષ સાથે એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘અમે લશ્કરી તાલીમમાં સહયોગ અંગે એક કરાર પર પહોંચ્યા છીએ. આ અંતર્ગત, ભારતીય વાયુસેનાના ફ્લાઈંગ પ્રશિક્ષકો યુકેના રોયલ એરફોર્સમાં ટ્રેનર તરીકે કામ કરશે.’

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK