ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વન રેન્ક વન પેન્શન પેમેન્ટ કેસમાં SCએ રક્ષા મંત્રાલયને આપી ચેતવણી, `કાયદો હાથ..`

વન રેન્ક વન પેન્શન પેમેન્ટ કેસમાં SCએ રક્ષા મંત્રાલયને આપી ચેતવણી, `કાયદો હાથ..`

13 March, 2023 03:49 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વન રેન્ક વન પેન્શન (OROP) નીતિ હેઠળ પેન્શન પેમેન્ટ મામલે સુપ્રીમ કૉર્ટે સોમવારે એકવાર ફરીથી કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ કર્યું કે ઓઆરઓપી બાકીના પેમેન્ટને લઈને 20 જાન્યુઆરીના જાહેર કરવામાં આવેલું નોટિફિકેશન પાછું લેવું પડશે.

સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)

સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)

વન રેન્ક વન પેન્શન (OROP) નીતિ હેઠળ પેન્શન પેમેન્ટ મામલે સુપ્રીમ કૉર્ટે સોમવારે એકવાર ફરીથી કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ કર્યું કે ઓઆરઓપી બાકીના પેમેન્ટને લઈને 20 જાન્યુઆરીના જાહેર કરવામાં આવેલું નોટિફિકેશન પાછું લેવું પડશે.

ભારતના પ્રધાન ન્યાયાધીશ (સીજેઆઈ) ડી. વાઈ. ચંદ્રચૂડે કહ્યું, `રક્ષા મંત્રાલય કાયદાને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન ન કરો. 20 જાન્યુઆરીના નોટિફિકેશનને પાછું ખેંચવામાં આવે. પછી જ કેન્દ્રની અરજી પર સુનાવણી કરશે.`

આની સાથે જ સુપ્રીમ કૉર્ટે અટૉર્ની જનરલને આગામી સોમવાર સુધી બાકીના પેન્શનના પેમેન્ટને લઈને એક નોટ પણ માગી છે, જેમાં એ જણાવવાનું રહેશે કે કેટલું પેમેન્ટ બાકી છે અને આથી કેટલા સમયમાં ચૂકવવામાં આવશે. કેસની આગામી સુનાવણી 20 માર્ચે થશે.


`કાયદો પોતાના હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી.`
27 ફેબ્રુઆરીના થયેલી છેલ્લી સુનાવણીમાં પણ શીર્ષ ન્યાયાલયે મંત્રાલયમાં સચિવ દ્વારા જાહેર પત્ર પર વાંધો ઊઠાવ્યો હતો અને તેમણે આ મામલે વ્યક્તિગત હલફનામું દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે રક્ષા મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરવાનાર વધારાના સૉલિસિટર જનરલ એન વેંકટરમણને કહ્યું હતું, `તમે સચિવને કહો કે 20 જાન્યુઆરીએ પત્ર જાહેર કરવા માટે અમે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીશું, સારું થશે કે તે આગામી તારીખ પહેલા આ પાછું ખેંચી લે. ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવી રાખવાની હશે. એ તો સચિવ તે સંચારને પાછા લઈ લે તો અમે અવમાનનાની નોટિસ જાહેર કરીશું... કાયદાને પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.`

આ પણ વાંચો : રાહુલના નિવેદન પર સંસદમાં હોબાળો, દેશદ્રોહનો ચાલે કેસ- પીયૂષ ગોયેલ


ગયા વર્ષે માર્ચમાં, શીર્ષ ન્યાયાલયે કેન્દ્રના ફૉર્મ્યૂલા વિરુદ્ધ અધિવક્તા બાલાજી શ્રીનિવાસનના માધ્યમે ભારતીય પૂર્વ સૈનિક આંદોલન (IESM)દ્વારા દાખલ અરજી પર નિર્ણય સંભળાવ્યો હતો. શીર્ષ ન્યાયાલયે 9 જાન્યુઆરીના કેન્દ્રને સશસ્ત્ર દળોના બધા પાત્ર પેન્શનરોને ઓઆરઓીના કુલ બાકીના પેમેન્ટ માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. પછીથી, સરકારે સશસ્ત્ર દળોના બધા પાત્ર પેન્શન મેળવનારને ઓઆરઓપી યોજના માટે બાકીના પેમેન્ટ માટે 15 માર્ચ સુધીનો સમય લંબાવવાની માગ કરતા શીર્ષ ન્યાયાલય તરફ વળ્યા.

13 March, 2023 03:49 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK