Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વાંધાઓથી વાસ્તવિકતા બદલવાની નથી

વાંધાઓથી વાસ્તવિકતા બદલવાની નથી

12 April, 2023 02:08 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને વાંધો ઉઠાવ્યો તો ભારતે જવાબમાં આમ જણાવ્યું

ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત

ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત


ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત વિશેની ચીનની કમેન્ટ્સને ભારતે ગઈ કાલે ફગાવી દીધી હતી. ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું કે આવા વાંધાઓથી ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા નહીં બદલાય. ચીને અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો એમ કહીને વિરોધ કર્યો હતો કે એનાથી ચીનની પ્રાદેશિક અખંડિતતાનો ભંગ થયો છે. 

હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘ચીનના સત્તાવાર પ્રવક્તા દ્વારા કરવામાં આવેલી કમેન્ટ્સને અમે સંપૂર્ણપણે ફગાવી દઈએ છીએ. ભારતીય નેતાઓ ભારતના બીજા કોઈ પણ રાજ્યમાં જાય છે એમ રૂટીનલી અરુણાચલ પ્રદેશમાં જાય છે.’



તેમણે વધુ જણાવ્યું હતું કે ‘અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશાં રહેશે. આવી મુલાકાતનો વિરોધ કરવાથી એ વાસ્તવિકતા નહીં બદલાય.’ ચીને ગયા અઠવાડિયામાં અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પોતાની હોય એમ એનાં નામ બદલ્યાં હતાં. 


ગૃહપ્રધાનની વિઝિટ પર ચીનના પ્રવક્તા વેંગ વેનબિને જણાવ્યું હતું કે ‘ઝેંગનન ચીનનો પ્રદેશ છે. ભારતીય પ્રધાનની ઝેંગનનની મુલાકાતથી ચીનની પ્રાદેશિક અખંડિતતાનો ભંગ થાય છે.’  


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2023 02:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK