અમારી પાર્ટીમાં વંશવાદ નહીં, કાર્યકરોને સ્થાન : મોદી
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જનસંઘના સંસ્થાપકોમાંથી એક રહેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતની વિદેશનીતિ દબાણમુક્ત થઈને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આગળ વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે એક અમારી વિચારધારા દેશભક્તિની છે, અમારી રાજનીતિમાં પણ રાષ્ટ્રનીતિ સર્વોપરી છે. પીએમ મોદીએ કહ્યું કે બહુમતથી ફક્ત સરકાર ચાલે છે, દેશ સહમતીથી ચાલે છે. અમે અમારા રાજનીતિક વિરોધીઓનું સન્માન કરીએ છીએ. અમારી પાર્ટીમાં વંશવાદ નહીં, કાર્યકર્તાને સ્થાન આપવામાં આવે છે.