Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૩૦૦ કરોડના ખર્ચે બનેલા ગુવાહાટીના ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુને નરેન્દ્ર મોદીએ કર્યો લોકાર્પણ

૩૩૦૦ કરોડના ખર્ચે બનેલા ગુવાહાટીના ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુને નરેન્દ્ર મોદીએ કર્યો લોકાર્પણ

Published : 15 February, 2026 10:04 AM | IST | Assam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રોજેક્ટ શ્રદ્ધાળુઓનું ગુવાહાટીમાં આવેલા પવિત્ર કામાખ્યાદેવી મંદિર સુધી પહોંચવાનું આસાન બનાવશે.’

બ્રહ્મપુત્ર નદી પર બનેલા મોટા પુલ-પ્રોજેક્ટ ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુનું ઉદ્ઘાટન

બ્રહ્મપુત્ર નદી પર બનેલા મોટા પુલ-પ્રોજેક્ટ ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુનું ઉદ્ઘાટન


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા મોટા પુલ-પ્રોજેક્ટ ‘કુમાર ભાસ્કર વર્મા’ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુવાહાટી અને આસપાસનાં ક્ષેત્રો માટે આ સેતુને મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પરિયોજના ગણાવી હતી. નરેન્દ્ર મોદીએ આ પુલની તસવીરો શૅર કરીને કહ્યું હતું કે ‘આનાથી આસામની વ્યાપારિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ શ્રદ્ધાળુઓનું ગુવાહાટીમાં આવેલા પવિત્ર કામાખ્યાદેવી મંદિર સુધી પહોંચવાનું આસાન બનાવશે.’

આ પુલ ૧.૨૪ કિલોમીટર લાંબો છે અને ૮.૪ કિલોમીટર લાંબા કૉરિડોરનો ભાગ છે. એ ૩૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે. એ આસામના સૌથી મોટા શહેર ગુવાહાટીમાં ટ્રાફિકના દબાણને ઘટાડશે અને ટ્રાન્સપોર્ટની સુવિધા બહેતર બનાવશે. આ પુલનું નામ પૌરાણિક કામરૂપના રાજા કુમાર ભાસ્કર વર્મનના નામ પરથી રાખવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 10:04 AM IST | Assam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK