Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉંગ્રેસ હાઈકમાન્ડની લક્ષ્મણ રેખા ટિપ્પણી બાદ મોદી સરકાર આપશે થરુરને આ જવાબદારી

કૉંગ્રેસ હાઈકમાન્ડની લક્ષ્મણ રેખા ટિપ્પણી બાદ મોદી સરકાર આપશે થરુરને આ જવાબદારી

Published : 16 May, 2025 05:15 PM | Modified : 17 May, 2025 06:46 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Modi Government gives Shashi Tharoor a big responsibility: કેરળના તિરુવનંતપુરમના સાંસદ સભ્ય શશિ થરુર પાર્ટી લાઇન વિરુદ્ધના નિવેદનોને કારણે કૉંગ્રેસ હાઇકમાન્ડના નિશાન પર છે. આ દરમિયાન, કેન્દ્રની મોદી સરકાર થરુરને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવા જઈ રહી છે

નરેન્દ્ર મોદી અને શશી થરુર (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)

નરેન્દ્ર મોદી અને શશી થરુર (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)


કેરળના તિરુવનંતપુરમના સાંસદ સભ્ય શશિ થરુર પાર્ટી લાઇન વિરુદ્ધના નિવેદનોને કારણે કૉંગ્રેસ હાઇકમાન્ડના નિશાન પર છે. આ દરમિયાન, કેન્દ્રની મોદી સરકાર થરુરને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવા જઈ રહી છે. હકીકતમાં, સરકારે આતંકવાદ પર પાકિસ્તાનના સત્યથી વિશ્વને વાકેફ કરવાની યોજના બનાવી છે. આ માટે તેઓ થરુરને મહત્ત્વપૂર્ણ ભૂમિકા આપવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં, કૉંગ્રેસની બેઠક પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે શશિ થરુરે ભારત અને પાકિસ્તાનના મુદ્દા પર પાર્ટી વિચારધારાથી અલગ નિવેદનો આપીને લક્ષ્મણ રેખાને પાર કરી દીધી હતી.


સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ બાબતોની સંસદીય પૅનલના વડા શશિ થરુરને બહુપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવશે. સરકારે આ માટે થરુરનો સંપર્ક પણ કર્યો છે. થરુર પણ આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માગે છે અને ખાસ કરીને અમેરિકામાં. તેઓ વિદેશ બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. જો કે, તેમણે સરકારને કહ્યું છે કે આ માટે સરકારે પહેલા કૉંગ્રેસ પાર્ટીનો સંપર્ક કરવો પડશે અને આ અંગે સલાહ લેવી પડશે.



આમાં ઘણા પ્રતિનિધિમંડળો બનાવવામાં આવશે, જે વિદેશી દેશોની મુલાકાત લેશે અને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનના સત્યથી વિશ્વને વાકેફ કરશે. દરેક પ્રતિનિધિમંડળમાં પાંચથી છ સાંસદો હોઈ શકે છે. તેમાં વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ અને એક સરકારી અધિકારી પણ હશે. સરકારે સાંસદોને એમ પણ કહ્યું છે કે તેઓ વિદેશ પ્રવાસ માટે પાસપૉર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે. વિદેશ મંત્રાલય આ મુલાકાતનું સંકલન કરશે.


આ પ્રતિનિધિમંડળ 22 મેની આસપાસ રવાના થઈ શકે છે અને પછી આવતા મહિને 3-4 જૂન સુધીમાં પરત આવશે. સરકાર આમાં વિવિધ પક્ષોના સાંસદોને શામેલ કરવા જઈ રહી છે. અન્ય ઘણા સાંસદોના નામોમાં કૉંગ્રેસના મનીષ તિવારી અને અમર સિંહ, શિવસેના (યુબીટી)ના પ્રિયંકા ચતુર્વેદી, ભાજપના સમિક ભટ્ટાચાર્ય, બીજેડીના સસ્મિત પાત્રા, શિવસેનાના શ્રીકાંત શિંદે, એનસીપી-શરદ પવાર જૂથના સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે.

`થરુરે લક્ષ્મણ રેખા પાર કરી`
કૉંગ્રેસના સાંસદ શશિ થરુર છેલ્લા કેટલાક સમયથી વિવિધ મુદ્દાઓ પર સરકારની નીતિઓનું સમર્થન કરી રહ્યા છે. આ કારણે, કૉંગ્રેસના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે પાર્ટીમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ થરુરે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ સંબંધિત મુદ્દા પર પોતાના તાજેતરના નિવેદનોથી લક્ષ્મણ રેખાને પાર કરી દીધી છે. પાર્ટી હાઇકમાન્ડે નેતાઓને આ મુદ્દા પર પોતાનો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવાને બદલે પાર્ટીનો વલણ રજૂ કરવાની સૂચના આપી છે. જો કે, થરુરે બીજા દિવસે આ અટકળોને ફગાવી દીધી. થરુરે કહ્યું કે તેમને આ વાત ફક્ત મીડિયા દ્વારા જ ખબર પડી અને મીડિયા દ્વારા કોઈ પણ આધાર વિના આ વાત કહેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2025 06:46 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK