Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJPને ૩૧૦ બેઠક મળી ચૂકી છે, બાકીના બે ફેઝમાં ૪૦૦નો આંકડો પાર થશે

BJPને ૩૧૦ બેઠક મળી ચૂકી છે, બાકીના બે ફેઝમાં ૪૦૦નો આંકડો પાર થશે

23 May, 2024 07:37 AM IST | Sambalpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૃહપ્રધાન અમિત શાહનો દાવો

અમિત શાહ

અમિત શાહ


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત થવાની છે એવી બેઠકોનો આંકડો ૩૧૦ને પાર થઈ ગયો છે અને આગામી બે તબક્કામાં અમે ૪૦૦ બેઠકના લક્ષ્યાંકને પાર પાડીશું.

ઓડિશાના સંબલપુરમાં એક ચૂંટણીપ્રચાર સભાને સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઈ રહી છે અને એમાં પણ અમે ૭૫ બેઠકોના લક્ષ્યાંકને પાર પાડીને નવી સરકાર બનાવીશું. દેશને મજબૂત બનાવવા, નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડા પ્રધાન બનાવવા અને ઓડિશાની અસ્મિતાને ફરી સ્થાપવા માટે હાલમાં ચૂંટણી લડાઈ રહી છે. જો અમને ઓડિશામાં સત્તા મળશે તો અમે એકદમ યુવાન અને શક્તિથી તરવરતી વ્યક્તિને મુખ્ય પ્રધાનપદે નિયુક્ત કરીશું જે રાજ્યને નવી ઊંચાઈએ લઈ જશે.’



ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને તામિલનાડુમાં જન્મેલા તેમના નિકટના સાથી વી. કે. પાંડિયન પર પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન રાજ્યમાં બાબુશાહી થોપી રહ્યા છે અને તેઓ ઓડિશાની સંસ્કૃતિની અવગણના કરી રહ્યા છે. ઓડિશામાં ખનિજનો ભંડાર છે છતાં ઓડિશા ગરીબ રાજ્ય છે. નવીન પટનાયકના બાબુઓ રાજ્યની સંપત્તિ લૂંટી રહ્યા છે. શું તામિલનાડુના બાબુને ઉત્કલની ભૂમિ પર શાસન કરવા દેવો જોઈએ? આ કામ માત્ર એવી વ્યક્તિને સોંપવામાં આવવું જોઈએ જે ઓડિયામાં બોલતો હોય અને ભગવાન જગન્નાથની સંસ્કૃતિને આગળ વધારી શકતો હોય. પચીસ વર્ષ બાદ ઓડિશાના લોકોએ સત્તાપરિવર્તન કરવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2024 07:37 AM IST | Sambalpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK