પાકિસ્તાની ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ લોકોના જીવ ગયા છે. અહીં પણ, ભારતને પાકિસ્તાન તરફથી મોર્ટાર અને તોપમારો રોકવા માટે જવાબ આપવાની ફરજ પડી.
ફાઈલ તસવીર
ઑપરેશન સિંદૂર બાદ આજે સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ ઍર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતનો પ્રતિભાવ પાકિસ્તાન જેટલો જ તીવ્રતાથી અને સમાન ક્ષેત્રમાં રહ્યો છે. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોર ખાતે એક વાયુ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયના નિવેદન પ્રમાણે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરના વિસ્તારોમાં મોર્ટાર અને ભારે કેલિબરના તોપમારાનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર તેના બિનઉશ્કેરણીજનક ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે. પાકિસ્તાની ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ લોકોના જીવ ગયા છે. અહીં પણ, ભારતને પાકિસ્તાન તરફથી મોર્ટાર અને તોપમારો રોકવા માટે જવાબ આપવાની ફરજ પડી.
ADVERTISEMENT
View this post on Instagram
7 અને 8 મે દરમિયાનની મધરાતે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી છાવણીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને ઍર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા તટસ્થ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.
View this post on Instagram
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દિલ્હીએ બહાર પાડી વિજ્ઞપ્તિ
07 મે 2025ના રોજ ઑપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન, ભારતે તેના પ્રતિભાવને કેન્દ્રિત, માપેલ અને બિન-વધારાજનક ગણાવ્યો હતો. ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા નથી. એ પણ પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું કે ભારતમાં લશ્કરી લક્ષ્યો પર કોઈપણ હુમલો કરવામાં આવ્યો તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
This morning, the Indian Armed Forces targeted Air Defence Radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with same intensity as Pakistan. It has been reliably learnt that an Air Defence system at Lahore has been neutralised.… pic.twitter.com/z2OexT2nJP
— ANI (@ANI) May 8, 2025
07-08 મે 2025ની રાતે, પાકિસ્તાને અવંતીપુરા સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ, ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને આ સ્થળે હુમલો કરવાનો પ્રયાસ થયો જેને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને ઍર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા તટસ્થ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓનો કાટમાળ હવે પાકિસ્તાની હુમલાઓ સાબિત કરતા અનેક સ્થળોએથી મળી રહ્યો છે.
આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ ઍર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે પાકિસ્તાનની જેમ જ તીવ્રતાથી પ્રતિક્રિયા આપી છે. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોર ખાતે એક વાયુ સંરક્ષણ પ્રણાલીને ન્યૂટ્રલાઈઝ કરવામાં આવી છે.
ભારતીય સશસ્ત્ર દળોએ તણાવ ન વધારવાની તેમની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું પણ સાથે શરત એ પણ મૂકી કે, જો પાકિસ્તાની સૈન્ય તેનું સન્માન કરે.

